ચીનમાં કોરોના કેસ વધતા વિશ્વના અનેક દેશોએ વધારી ટેસ્ટિંગની સંખ્યા


  • Published By :
  • Published Date : 2022-12-29 09:53:29

વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે ચિંતા વ્યાપી ઉઠી છે. કોરોનાને કારણે ચીનની પરિસ્થિતિ વણસી ગઈ છે. કોરોનાને કારણે લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે જ્યારે હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. જેને કારણે સ્મશાનગૃહ લાશોથી ભરાઈ ગયું છે. પરંતુ ચીન સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરોને ચીનમાં આવવાની અનૂમતિ આપી દીધી છે. ઉપરાંત ક્વોરેન્ટાઈન થવાના નિર્ણયને પણ હટાવી દીધો છે. ત્યારે અમેરિકા, ઈટલી, જાપાન, ભારત જેવા દેશોએ વધતા કોરોના સંક્રમણને લઈને નિયમો કડક કરી દીધા છે. 


કોરોનાના નિયમોમાં ચીને ફેરફાર કરતા વધી દેશોની ચિંતા 

કોરોના સંક્રમણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અનેક દેશોમાં કોરોને કારણે પરિસ્થિતિ એકદમ વિકટ બની રહી છે. સૌથી વધારે ખરાબ હાલત ચીનની હોય તેવું લાગી રહ્યું છે. દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન લાખોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. લોકો મોતને પણ ભેટી રહ્યા છે. પરંતુ વધતા કોરોના સંક્રમણ વચ્ચે ચીન સરકારે અનેક પ્રતિબંધો હળવા કરી દીધા છે. જેને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી ગઈ છે. 


કોરોના રિપોર્ટ નેગેટીવ હશે તેને જ આપવામાં આવશે પ્રવેશ 

ચીન સરકારે વિદેશથી આવતા લોકોને ચીનમાં આવવાની પરવાનગી આપી દીધી છે. ઉપરાંત ક્વોરેન્ટાઈન થવાની પણ જરૂર નથી તેવા નિયમો બહાર પાડ્યા છે. તો બીજી તરફ અમેરિકા, જાપાન, ભારત જેવા દેશોએ પોતાના નિયમો કડક કરી દીધા છે. પોતાના દેશમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. અમેરિકા, ઈટલીમાં ચીનથી આવતા એવો લોકોને જ પ્રવેશ આપવામાં આવશે જેનો કોરોના રિપોર્ટ નેગેટીવ હોય. ચીનથી આવતા તમામ યાત્રિકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે.  ભારત સરકારે પણ વધતા કોરોના કેસને લઈ નિયંત્રણો લાદી દીધા છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે