ગુજરાતમાં કોરોનાના આજે નવા 58 કેસ, અમદાવાદમાં સૌથી વધુ અમદાવાદમાં 30 દર્દી નોંધાયા


  • Published By :
  • Published Date : 2023-03-14 20:48:57

ગુજરાતમાં ફરી એક વખત કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે મંગળવાર 14 માર્ચના રોજ કોવિડ 19ના નવા 58 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કુલ 268 એક્ટિવ કેસ છે જ્યારે વેન્ટીલેટર પર 05 અને 263 દર્દીઓની હાલત સ્ટેબલ છે. જ્યારે આ કોરોના વાયરસ અત્યાર સુધીમાં રાજ્યના કુલ 11,047 લોકોને ભરખી ચૂક્યો છે.


વિવિધ જિલ્લામાં કેટલા કેસ?


રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 30 કેસ નોંધાયા છે. જે પૈકી 18 કેસ શહેરી વિસ્તાર, તો એક પોઝિટિવ કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો છે. તે ઉપરાંત ભાવનગર કોર્પોરેશન 4, રાજકોટ કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન 1, રાજકોટ 4, અમરેલી 3, મહેસાણા 2, સુરત 3, અમદાવાદ 1, રાજકોટ શહેરમાં 2 તેમજ ગાંધીનગર જિલ્લામાં 2 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છમાં 3, પોરબંદરમાં 2 તેમજ બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,66,759 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.