કોરોનાને લઈ આવ્યા રાહતના સમાચાર


  • Published By :
  • Published Date : 2022-12-02 14:39:40

દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. એપ્રિલ 2020 બાદ પ્રથમ વખત દેશમાં કોરોના કેસનો સૌથી આંકડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 275 કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ઉપરાંત રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે.

શું કોરોના વાઇરસ વધારે ખતરનાક બનતો જઈ રહ્યો છે? - BBC News ગુજરાતી

ઓછા લોકો થઈ રહ્યા છે કોરોના સંક્રમિત

કોરોના મહામારીએ દેશમાં તેમજ વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. એક સમયે હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. કોરોનાની ઝપેટમાં આવતા અનેક લોકોના મોત પણ થતા હતા. મૃત્યુ આંક પણ સતત વધતો હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોથી કોરોના અંગે રાહતના સમાચાર મળી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણનું જોર ઘટી રહ્યું છે. ઓછા લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 275 લોકો કોરોના સંક્રમિત થયા છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.