જાન્યુઆરીમાં કોરોનાના કેસ વધશે, દેશ માટે આગામી 40 દિવસ ખુબ જ મહત્વના


  • Published By :
  • Published Date : 2022-12-28 19:44:34

ચીનમાં વધેલા કોરોના સંક્રમણે દુનિયાભરના દેશોની ચિંતા વધારી છે. ભારત પર પણ કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં કોવિડના કેસ જાન્યુઆરી મહિનામાં વધશે. આ સ્થિતીમાં આગામી 40 દિવસ દેશ માટે ખુબ જ મહત્વના મનાઈ રહ્યા છે. સત્તાવાર સુત્રોએ રોગચાળો ફેલાવાની ઝડપ અંગેના ભૂતકાળના અનુભવથી આ અનુમાન લગાવવામાં આવ્યું છે.


જાન્યુઆરી મહિનામાં કેસ વધશે


આરોગ્ય મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા પણ આવું થયું હતું  કે પૂર્વ એશિયાના દેશો કોરોનાની ઝપેટમાં આવ્યા પછી ભારતમાં 30-35 દિવસમાં જ કોરોનાની પહેલી લહેર આવી હતી. જો કે એવું પણ કહેવાય છે કે સંક્રમણની ગંભીરતા ઓછી થઈ છે. જો  દેશમાં કોરોનાની લહેર આવે છે તો તેનાથી થનારાના મોત અને સંક્રમિતોની સંખ્યા ખુબ જ ઓછી રહેશે.  


બીએફ.7થી સંક્રમણમાં વૃધ્ધી


ચીન ઉપરાંત જાપાન, થાઈલેન્ડ, અમેરિકા સહિતના દેશમાં ઓમિક્રોનના સબ વેરિયેન્ટ બીએફ. 7 થી સંક્રમણ વધ્યું છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે બીએફ.7 ના ફેલાવાનો દર ખુબ જ વધુ હોય છે અને એક સંક્રમિત વ્યક્તિ 16 જણાને સંક્રમિત કરી શકે છે. ભારતમાં ધીરે-ધીરે સંક્રમણ વધી રહ્યું છે.


સીરમ ઇન્સ્ટિટ્યૂટની વિના મૂલ્યે ડોઝ આપવાની ઓફર


કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવનાર દેશની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટે આરોગ્ય મંત્રાલયને પત્ર લખીને 410 કરોડ રૂપિયાના ડોઝ વિના મૂલ્યે આપવાની ઓફર કરી છે. જાણવા મળ્યું છે કે કંપનીએ મંત્રાલય પાસેથી એ જાણવાની માંગ કરી છે કે અમારે 2 કરોડ ડોઝની ડિલિવરી કેવી રીતે આપવી. સિરમે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ માટે સરકારને અત્યાર સુધીમાં કોવિશિલ્ડના 170 કરોડથી વધુ ડોઝ પૂરા પાડ્યા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!