ઓડિશા રેલ દુર્ઘટના મામલે CBIએ FIR દાખલ કરી, CBIની ટીમે ઘટના સ્થળનું કર્યું નિરીક્ષણ


  • Published By :
  • Published Date : 2023-06-06 21:32:37

ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ CBIને સોંપવામાં આવ્યા બાદ CBIએ આજે 6 જૂનનાં રોજ CBIએ પહેલી FIR નોંધી છે. CBI અધિકારીએ જણાવ્યું કે એક ટીમે બાલાસોર પહોંચીને ઘટના સ્થળનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે CBIએ રેલ મંત્રાલયની વિનંતી, ઓડિશા સરકારની સહમતિ અને કેન્દ્ર સરકારનાં આદેશોનાં આધારે કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને એક માલગાડી સંબંધિત ટ્રેન દુર્ઘટનાનાં મામલામાં કેસ નોંધ્યો છે. 


CBIની ટીમે ઘટના સ્થળનું કર્યું નિરિક્ષણ


CBIની ટીમે મંગળવારે સિગ્નલ રૂમ અને રેલ પટરીઓનું નિરીક્ષણ કર્યું. સાથે જ બાહાનગા બજાર રેલ્વે સ્ટેશન પર તૈનાત રેલ્વે અધિકારી સાથે પૂછપરછ પણ કરી. CBI અધિકારીઓની સાથે ફોરેંસિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેંસિક ટીમે પણ સિગ્નલ રૂમનાં કર્મચારીઓ  સાથે વાતચીત કરી અને ઉપકરણોનાં ઉપયોગ અને તેમનાં કામ કરવાની રીત અંગે માહિતી મેળવી.


ઓડિશાના બાલાસોર નજીક સર્જાઈ હતી દુર્ઘટના


અત્રે ઉલ્લેખનિય છે કે હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન શુક્રવારે સાંજે એક મોટા અકસ્માતનો શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિલોમીટર દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 278 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.