'સામના'માં PM મોદી સામે આર્ટિકલ લખવા પર વિવાદ, સંજય રાઉત સામે નોંધાઈ FIR


  • Published By :
  • Published Date : 2023-12-12 15:00:12

શિવસેના (ઉદ્ધવ)ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત સામે ફરિયાદ નોંધાઈ છે. શિવસેનામા મુખપત્ર 'સામના'માં પીએમ મોદી વિરૂધ્ધ કથિત એક વાંધાજનક આર્ટિકલ લખવા મામલે રાઉત સામે એફઆઈઆર થઈ છે. ભાજપના નેતાએ યવતમાલમાં સંજય રાઉત સામે FIR  નોંધાવી હતી. 


સંજય રાઉતે લખ્યું વાંધાજનક લખાણ


બિજેપી નેતા નિતિન ભુટાડાએ યવતમાલમાં સંજય રાઉત સામે ફરિયાદ નોંધાનતા કહ્યું કે રાઉતે 11 ડિસેમ્બરના રોજ સામનામાં પીએમ મોદી વિરૂધ્ધ વાંધાજનક આર્ટિકલ લખ્યો હતો. પોલીસના  જણાવ્યા પ્રમાણે નિતિન ભુટાડાએ સામનાના કાર્યકારી સંપાદક સામે ફરિયાદ નોંધાઈ છે. હવે આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. 


આર્ટીકલમાં શું લખ્યું છે?


પોલીસના જણાવ્યા પ્રમાણે આ આર્ટિકલમાં બે સમુદાયો વિરૂધ્ધ દુશ્મની વધે તે પ્રકારનું લખાણ છે. આ મામલે ઉમરખેડ પોલીસ સ્ટેશનમાં સંજય રાઉત સામે કલમ 153 (A), 505 (2) અને 124 (A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.