પેપર કપના પ્રતિબંધને લઈ છેડાયો વિવાદ, જાણો આ નિર્ણય અંગે શું કહ્યું અમદાવાદના મેયરે...


  • Published By :
  • Published Date : 2023-01-20 09:50:33

ચાની કીટલી પર વપરાતા પેપ કપ પર આજથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોઈ પણ કીટલી પર પેપર કપ મળી આવશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે .પરંતુ પ્રતિબંઘ અમલી થાય તેના એક દિવસ પહેલા અમદાવાદના મેયર કિરીટ પરમારે નિવેદન આપતા કહ્યું કે આવો કોઈ ઠરાવ કરાયો નથી. અમને પૂછીને આ નિર્ણય લેવાયો નથી. માત્ર કમિશ્નરના મૌખિક આદેશ પર કાર્યવાહી કરવાની તૈયારીઓ થઈ રહી છે.  


પેપર કપ મળશે તો લેવાશે કડક પગલા  

આરોગ્ય માટે ખરાબ હોવાને કારણે ચાની કિટલી પર વપરાતા પેપર કપના ઉપયોગ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પેપર કપને કારણે સ્વચ્છતા જળવાતી નથી. જેને પગલે પેપર કપના ઉપયોગ પર આજથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશ્નરની સૂચના પેપર કપનો ઉપયોગ કરતી કિટલીને સીલ કરવા સુધીની તૈયારીઓ બતાવામાં આવી છે. 

Ahmedabad: WhatsAppના DPમાં મેયર Kirit Parmarનો ફોટો સેટ કરીને અધિકારીઓને  ગાળો ભાંડી - unknown number set pic of mayor kirit parmar and use indecent  language with officers - I am Gujarat

અમને પૂછીને નિર્ણય લેવાયો નથી - અમદાવાદ મેયર 

પરંતુ પ્રતિબંધ લાગુ થાય તેની પહેલા અમદાવાદના મેયરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે આવો ઠરાવ કરાયો નથી. અમને પૂછીને આ નિર્ણય લેવાયો નથી માત્ર કમિશ્નરના મૌખિક આદેશ પર કાર્યવાહી કરવાની તૈયારીઓ થઈ રહી છે.  વધુમાં તેમણે કહ્યું હતું કે કમિશ્નર રાઉન્ડ પર હતા તે દરમિયાન તેમને યોગ્ય લાગ્યુ એટલે નિર્ણય લેવાયો. પરંતુ સત્તાધારી પક્ષને આ નિર્ણય અંગે જાણ કરવામાં ન આવી હતી અને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. ત્યારે આ નિર્ણયને લઈને વિવાદ છેડાઈ ગયો છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!