કર્ણાટકમાં ચૂંટણી પહેલા ઉઠ્યો દૂધને લઈ વિવાદ! અમૂલની જાહેરાત બાદ જોવા મળ્યું અમૂલ Vs નંદિની, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-10 12:54:19

કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી સમયે એક એવો મુદ્દો ઉભો થઈ હોય છે જેને લઈ વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે કર્ણાટકમાં દૂધ ઉત્પાદનને લઈ વિવાદ શરૂ થઈ ગયો છે. થોડા દિવસ પહેલા અમુલ ડેરીએ કર્ણાટકમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે ચાર જેટલા દિવસોથી ઘમાસાણ ચાલી રહ્યું છે. અમુલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ કોંગ્રેસ સહિત વિપક્ષ આક્રામક દેખાઈ રહ્યું છે. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કર્ણાટકમાં પ્રસિદ્ધ નંદિની બ્રાન્ડને ખતમ કરવા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વાતનો વિરોધ ન માત્ર રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ કર્ણાટક મિલ્ક ફેડરેશન પણ આ વાતના સમર્થનમાં છે. ફેડરેશન દ્વારા પણ આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 


અમૂલ બ્રાન્ડની એન્ટ્રી બાદ શરૂ થયો વિવાદ!

થોડા દિવસો પહેલા કર્ણાટક અને તમિલનાડુમાં દહીને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. દહીંના પેકેટ પર દહીં હિંદી ભાષામાં લખવામાં આવ્યું હતું. આ વાતનો લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ભારે વિરોધના પગલે આ નિર્ણયને પાછો ખેંચી લીધો હતો. ત્યારે હવે ફરી એક વખત દૂધને લઈ કર્ણાટકમાં વિવાદ છેડાઈ ગયો છે. અમૂલ ડેરીએ થોડા સમય પહેલા કર્ણાટકમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી. જે બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા તેમજ વિપક્ષ દ્વારા સરકાર પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે નંદિની બ્રાંડને ખતમ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે.


કર્ણાટકમાં એન્ટ્રી કરવાની અમૂલ બ્રાન્ડે કરી હતી જાહેરાત  

સમગ્ર મામલાની વાત કરીએ તો 5 એપ્રિલના રોજ અમૂલે ટ્વિટ કર્યું હતું જેમાં કર્ણાટકમાં આવવામાં પ્લાનની ઘોષણા કરી હતી. ટ્વિટમાં લખ્યું હતું કે અમૂલ પરિવાર બેંગ્લુરૂ શહેરમાં કઈ નવું લાવવા જઈ રહી છે. બીજા એક ટ્વિટમાં લખ્યું હતું કે દૂધ અને દહીંની સાથે તાજાની એક નવી લહેર બેંગલુરૂમાં આવા જઈ રહી છે.    


ચૂંટણી પહેલા કર્ણાટકમાં ગરમાઈ રાજનીતિ 

અમૂલ દ્વારા આ પ્રકારની ઘોષણા થયા બાદ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. લોકોએ બહિષ્કાર કરવાની શરૂઆત કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. કર્ણાટકમાં નંદીની બ્રાન્ડ પ્રખ્યાત છે. સ્થાનિક લોકો નંદિની બ્રાન્ડનું દૂધ વાપરે છે. ત્યારે અમૂલ બ્રાન્ડનો વિરોધ કર્ણાટકમાં થઈ રહ્યો છે. રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસના નેતા દ્વારા નંદિની મિલ્ક પાર્લરની મુલાકાત લેવાઈ હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.