દારૂબંધીને લઈ આરજેડી નેતાનું વિવાદસ્પદ નિવેદન, ભગવાન સાથે કરી દારૂની તુલના


  • Published By :
  • Published Date : 2022-12-04 08:49:09

દેશના અનેક રાજ્યોમાં દારૂબંધી કાનૂન લાગુ છે. બિહારમાં પણ આ કાનૂન લાગુ છે. ત્યારે બિહાર સરકારમાં સામેલ થયેલા મહાગઠબંધનના નેતા રામબલી ચંદ્રવંશીએ દારૂબંધીને લઈ પોતાની સરકારને જ ઘેરાવામાં લઈ લીધા છે. તેમણે એક વિવાદીત નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું દારૂ ભગવાન જેવો છે. હોય છે દરેક જગ્યાએ પણ દેખાતો નથી. 

आरजेडी एमएलसी रामबली चंद्रवंशी (फाइल फोटो)

નેતાએ દારૂની તુલના ભગવાન સાથે કરી 

બિહારમાં દારૂબંધીને લઈ નેતાઓની અલગ-અલગ રાય છે. અનેક વખત દારૂબંધીને લઈ નિતીશ કુમારની સરકાર પર સવાલ ઉઠ્યા છે. આ નેતાના પહેલા ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ દારૂબંધીને લઈ અનેક વખત સવાલ કર્યા છે. ત્યારે આ વખતે આરજેડી એમએલસી રામબલી ચંદ્રવંશીએ દારૂની તુલના ભગવાન સાથે કરી દીધી છે. પોતાના વિવાદીત નિવેદનમાં તેમણે કહ્યું કે દારૂ ભગવાન જેવી છે. હોય છે દરેક જગ્યા પર માત્ર દેખાતી નથી. આ નિવેદનને કારણે વિવાદ છેડાઈ શકે છે. 

Bihar CM Nitish Kumar tests positive for Covid-19 - The Economic Times

બિહારમાં દારૂબંધી મુદ્દો નથી - આરજેડી એમએલસી નેતા  

ચૂંટણી પ્રચારથી આવતા સમયે રામબલીએ આવું અજીબો-ગરીબ નિવેદન આપ્યું હતું. જ્યારે તેમને ઝેરીલી દારૂ પીધા પછી થયેલા મોત અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ પ્રશ્નો જવાબ આપવાનો ટાળ્યો હતો. તેમણે કહ્યું કે મરવાના અનેક કારણ હોઈ શકે છે. માત્ર દારૂને જ કારણે જ મોત નથી થતી. ઉપરાંત એવું પણ કહ્યું કે ચૂંટણીના મુદ્દામાં દારૂબંધીનો સમાવેશ ન કરાવો જોઈએ.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.