મહીસાગરના લુણાવાડામાં સ્વામીનારાયણ મંદિરની બહાર ગણપતિજીના વિવાદિત પોસ્ટરથી લોકોમાં રોષ, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-09-24 15:16:59

સાળંગપુર હનુમાનના મંદિરમાં ભીંતચિત્રો બાદથી સનાતન ધર્મના સંતો અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે શરૂ થયેલું ઘમાસાણ હજુ ચાલી જ રહ્યું છે. ત્યારે ત્યારે મહીસાગર (Mahisagar) જીલ્લાના લુણાવાડામાં (Lunawada) એક નવો વિવાદ શરૂ થયો છે. લુણાવાડા ખાતે આવેલા છપૈયા ધામ સોસાયટીમાં સ્વામીનારાયણ મંદિરની  બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જે વિવાદનું કારણ બન્યું છે. આ પોસ્ટરમાં ભગવાન ગણેશને સહજાનંદ સ્વામીના ખોળામાં બેઠેલા જોવા મળે છે. મંદિરની બહાર લગાવવામાં આવેલું આ પોસ્ટર આ પોસ્ટર  સોશિયલ મીડિયામાં વાયરલ થયાબાદ લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.


પોસ્ટરના કારણે વિવાદ વકર્યો


મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આવેલા છપૈયા ધામ સોસાયટીમાં સ્વામીનારાયણ મંદિરની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જે વિવાદનું કારણ બની ગયું છે. મંદિરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરમાં સહજાનંદ સ્વામીને કદની દૃષ્ટિએ મોટા બતાવવામાં આવ્યા છે, જ્યારે ગણપતિને સહજાનંદ સ્વામી કરતાં નાના બતાવવામાં આવી રહ્યા છે. વધુમાં ગણપતિ સહજાનંદ સ્વામીના ખોળામાં બેઠેલા નજરે પડે છે. પોસ્ટરમાં જે પ્રકારે ગણપતિને નાના દર્શાવવામાં આવ્યા છે તેને લઈને ભક્તજનોમાં ભારે રોષ છે. આ પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે અને ગણપતિ ભક્તો પોત પોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિવાદિત પોસ્ટરમાં ભાજપના નેતા જે. પી. પટેલ ભક્તજનોનું સ્વાગત કરવાની મુદ્રામાં દેખાઈ રહ્યા છે.


મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી


ભગવાન ગણપતિના પોસ્ટરના વિવાદને લઈ જ્યારે મીડિયાકર્મીઓ લુણાવાડાના સ્વામી નારાયણ મંદિરે પહોંચ્યા તો મંદિરમાં રહેલા સ્વામી નારાયણ સંપ્રદાયના લોકોએ મીડિયા કર્મીઓને ઘેરી લઈ બંધક બનાવી લીધા હતા. સ્વામી નારાયણ સંપ્રદાયના લોકોએ મંદિરમાં મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી. મીડિયાકર્મીઓએ કરેલું રેકોર્ડિગ પણ ડિલીટ કરી નાખ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મીડિયાકર્મીઓને મુક્ત કરાવ્યા હતા. જો કે પોલીસ પહોંચતા જ વિવાદ વધુ ઉગ્ર ન બને તે માટે મીડિયા કર્મીઓની માફી માગી હતી. બાદમાં વિવાદ આગળ વધે તે પહેલા જ તેમણે પોસ્ટરને હટાવી દેધું હતું. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.