મહીસાગરના લુણાવાડામાં સ્વામીનારાયણ મંદિરની બહાર ગણપતિજીના વિવાદિત પોસ્ટરથી લોકોમાં રોષ, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-09-24 15:16:59

સાળંગપુર હનુમાનના મંદિરમાં ભીંતચિત્રો બાદથી સનાતન ધર્મના સંતો અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે શરૂ થયેલું ઘમાસાણ હજુ ચાલી જ રહ્યું છે. ત્યારે ત્યારે મહીસાગર (Mahisagar) જીલ્લાના લુણાવાડામાં (Lunawada) એક નવો વિવાદ શરૂ થયો છે. લુણાવાડા ખાતે આવેલા છપૈયા ધામ સોસાયટીમાં સ્વામીનારાયણ મંદિરની  બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જે વિવાદનું કારણ બન્યું છે. આ પોસ્ટરમાં ભગવાન ગણેશને સહજાનંદ સ્વામીના ખોળામાં બેઠેલા જોવા મળે છે. મંદિરની બહાર લગાવવામાં આવેલું આ પોસ્ટર આ પોસ્ટર  સોશિયલ મીડિયામાં વાયરલ થયાબાદ લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.


પોસ્ટરના કારણે વિવાદ વકર્યો


મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આવેલા છપૈયા ધામ સોસાયટીમાં સ્વામીનારાયણ મંદિરની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જે વિવાદનું કારણ બની ગયું છે. મંદિરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરમાં સહજાનંદ સ્વામીને કદની દૃષ્ટિએ મોટા બતાવવામાં આવ્યા છે, જ્યારે ગણપતિને સહજાનંદ સ્વામી કરતાં નાના બતાવવામાં આવી રહ્યા છે. વધુમાં ગણપતિ સહજાનંદ સ્વામીના ખોળામાં બેઠેલા નજરે પડે છે. પોસ્ટરમાં જે પ્રકારે ગણપતિને નાના દર્શાવવામાં આવ્યા છે તેને લઈને ભક્તજનોમાં ભારે રોષ છે. આ પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે અને ગણપતિ ભક્તો પોત પોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિવાદિત પોસ્ટરમાં ભાજપના નેતા જે. પી. પટેલ ભક્તજનોનું સ્વાગત કરવાની મુદ્રામાં દેખાઈ રહ્યા છે.


મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી


ભગવાન ગણપતિના પોસ્ટરના વિવાદને લઈ જ્યારે મીડિયાકર્મીઓ લુણાવાડાના સ્વામી નારાયણ મંદિરે પહોંચ્યા તો મંદિરમાં રહેલા સ્વામી નારાયણ સંપ્રદાયના લોકોએ મીડિયા કર્મીઓને ઘેરી લઈ બંધક બનાવી લીધા હતા. સ્વામી નારાયણ સંપ્રદાયના લોકોએ મંદિરમાં મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી. મીડિયાકર્મીઓએ કરેલું રેકોર્ડિગ પણ ડિલીટ કરી નાખ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મીડિયાકર્મીઓને મુક્ત કરાવ્યા હતા. જો કે પોલીસ પહોંચતા જ વિવાદ વધુ ઉગ્ર ન બને તે માટે મીડિયા કર્મીઓની માફી માગી હતી. બાદમાં વિવાદ આગળ વધે તે પહેલા જ તેમણે પોસ્ટરને હટાવી દેધું હતું. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!