TET-TAT ઉમેદવારોના વિરોધ વચ્ચે માધ્યમિક શાળાઓ માટે બહાર પડી કરાર આધારિત ભરતીની જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-24 10:53:37

એક તરફ TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેમજ જ્ઞાન સહાયક યોજના નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે તો બીજી તરફ શિક્ષણ વિભાગે માધ્યમિક શાળાઓ માટે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીની પ્રક્રિયા 26 ઓગસ્ટથી ઓનલાઈન શરૂ થશે અને 4 સપ્ટેમ્બર સુધી શરૂ રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 24 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે. આ ભરતી અંગેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. 


જ્ઞાન સહાયક યોજના નાબુદ કરાવવા ઉમેદવારોનો વિરોધ

છેલ્લા ઘણા સમયથી TET-TATના ઉમેદવારો જ્ઞાન સહાયક યોજના નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે અનેક વખત આંદોલનો કરવા ગાંધીનગર જવાનો પ્રયત્ન કર્યો, પીએમને પત્ર લખી પોતાની વેદના સમજાવવાનો પ્રયત્ન કરવાનો હતો પરંતુ દરેક વખતે તેમની અટકાયત કરી લેવામાં આવતી હતી. એક તરફ શાળામાં શિક્ષકોની ઘટ છે, શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ભણવામાં મૂશ્કેલી પડે છે, તો બીજી તરફ ભાવિ શિક્ષકો પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખી વિરોધ કરી રહ્યા છે. 


કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત

કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે જે શિક્ષકોનું પોતાનું ભવિષ્ય નક્કી નથી તે વિદ્યાર્થીઓના ભવિષ્યને કેવી રીતે આકાર આપી શકે. કરાર પૂર્ણ થયા બાદ તેમની પાસે નોકરી હશે કે નહીં તેની તેમને ખબર નથી તો તે કેવી રીતે બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે. આ બધા વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકમાં ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. માધ્યમિક શાળાઓ માટે કરાર આધારિત જ્ઞાનસહાયકની ભરતીની જાહેરાત કરી છે.         

       



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!