જમવાની વસ્તુમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત! Ahmedabadની ફેમસ ITC Narmada Hotelના સંભાર માંથી પણ જીવડું નીકળ્યું!


  • Published By :
  • Published Date : 2024-09-12 16:28:51

ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળવી જાણે સામાન્ય વસ્તુ થઈ ગઈ છે.. અનેક વખત આપણી સામે એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં ખાવાની વસ્તુમાંથી કાં તો ગરોડી નીકળે છે કાં તો દેડકો નીકળે છે. ત્યારે ફરી એક વખત ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળી છે.. તમે જો બહાર મોટી મોટી હોટલનું ખાવાનું ખાવાના શોખીન છો તો તમને આ સમાચાર સાંભળીને ધ્રાસકો પડી જશે કારણ કે મોટી ફાઇવ સ્ટાર હોટલોના ખાવાનામાંથી પણ હવે જીવાત નીકળી છે હોટલનું નામ છે આઈટીસી નર્મદા.. 

ITC નર્મદા હોટલના જમવામાંથી નીકળી જીવાત

આ વાંચીને તમને આઘાત લાગ્યોને... પરંતુ આ વાત સાચી છે.. આવું સાચે થયું છે.. સેટેલાઈટ વિસ્તારમાં કેશવબાગ પાસે આવેલી ITC નર્મદા હોટલમાં ગ્રાહકને ભોજનમાં સાંભારમાંથી જીવડું નીકળ્યું છે. ગ્રાહક દ્વારા આ મામલે મ્યુન્સિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી એટલે ટીમ તાત્કાલિક હોટલે પહોંચી હતી. કિચનમાં તપાસ કરી હતી. હોટલને માત્ર રૂ.50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રાહકે એ વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો જેના કારણે બધાને જાણ થઈ.. 



શું હતી આખી ઘટના?

મૂળ વાત એવી હતી કે  ITC નર્મદા હોટલમાં એક વ્યક્તિ રોકાયો હતો. તેણે ભોજન મંગાવ્યું. સાંભાર ખાવા માટે અંદર જોયું તો જીવડાં જેવું કંઈક દેખાયું. તેમણે હોટલના મેનેજરને બોલાવી ફરિયાદ કરી અને બાદમાં તાત્કાલિક મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને પણ જાણ કરી હતી. જેથી કુડ વિભાગની ટીમ ત્યાં પહોંચીને ચેકિંગ કર્યું 



શું કહ્યું ફૂડ વિભાગના અધિકારીએ?

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, હોટલ ITC નર્મદામાં ગ્રાહકને રૂમમાં ભોજન પીરસવામાં આવ્યું હતું. જેમાંથી જીવડું નીકળ્યું હોવાની ફરિયાદ મળતા ટીમ દ્વારા ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે. હોટલના કિચનમાં ક્યાંય પણ જીવાત કે અન્ય કોઈ ચીજવસ્તુઓ એવી મળી આવી નથી. જેથી જીવડું નીકળવાની ઘટનાને પગલે રૂપિયા 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે