જમવાની વસ્તુમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત! Ahmedabadની ફેમસ ITC Narmada Hotelના સંભાર માંથી પણ જીવડું નીકળ્યું!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-12 16:28:51

ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળવી જાણે સામાન્ય વસ્તુ થઈ ગઈ છે.. અનેક વખત આપણી સામે એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં ખાવાની વસ્તુમાંથી કાં તો ગરોડી નીકળે છે કાં તો દેડકો નીકળે છે. ત્યારે ફરી એક વખત ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળી છે.. તમે જો બહાર મોટી મોટી હોટલનું ખાવાનું ખાવાના શોખીન છો તો તમને આ સમાચાર સાંભળીને ધ્રાસકો પડી જશે કારણ કે મોટી ફાઇવ સ્ટાર હોટલોના ખાવાનામાંથી પણ હવે જીવાત નીકળી છે હોટલનું નામ છે આઈટીસી નર્મદા.. 

ITC નર્મદા હોટલના જમવામાંથી નીકળી જીવાત

આ વાંચીને તમને આઘાત લાગ્યોને... પરંતુ આ વાત સાચી છે.. આવું સાચે થયું છે.. સેટેલાઈટ વિસ્તારમાં કેશવબાગ પાસે આવેલી ITC નર્મદા હોટલમાં ગ્રાહકને ભોજનમાં સાંભારમાંથી જીવડું નીકળ્યું છે. ગ્રાહક દ્વારા આ મામલે મ્યુન્સિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી એટલે ટીમ તાત્કાલિક હોટલે પહોંચી હતી. કિચનમાં તપાસ કરી હતી. હોટલને માત્ર રૂ.50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રાહકે એ વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો જેના કારણે બધાને જાણ થઈ.. 



શું હતી આખી ઘટના?

મૂળ વાત એવી હતી કે  ITC નર્મદા હોટલમાં એક વ્યક્તિ રોકાયો હતો. તેણે ભોજન મંગાવ્યું. સાંભાર ખાવા માટે અંદર જોયું તો જીવડાં જેવું કંઈક દેખાયું. તેમણે હોટલના મેનેજરને બોલાવી ફરિયાદ કરી અને બાદમાં તાત્કાલિક મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને પણ જાણ કરી હતી. જેથી કુડ વિભાગની ટીમ ત્યાં પહોંચીને ચેકિંગ કર્યું 



શું કહ્યું ફૂડ વિભાગના અધિકારીએ?

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, હોટલ ITC નર્મદામાં ગ્રાહકને રૂમમાં ભોજન પીરસવામાં આવ્યું હતું. જેમાંથી જીવડું નીકળ્યું હોવાની ફરિયાદ મળતા ટીમ દ્વારા ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે. હોટલના કિચનમાં ક્યાંય પણ જીવાત કે અન્ય કોઈ ચીજવસ્તુઓ એવી મળી આવી નથી. જેથી જીવડું નીકળવાની ઘટનાને પગલે રૂપિયા 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.  



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.