બળાત્કારના ખોટા કેસમાં નિવૃત્ત અધિકારીને ફસાવવા રચાયું કાવતરૂ, પાંચ લોકોની કરાઈ ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-02-13 14:35:18

ગુજરાતમાં પૂર્વ આઈપીએસ અને નિવૃત્ત ડીજીપી કક્ષાના અધિકારીને ખોટી રીતે ફસાવવા તેમજ બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર એક બનાવટી એફિડેવિટ વાયરલ થઈ હતી જેને કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ખળખળાટ વ્યાપી ઉઠ્યો હતો. આ સમગ્ર મામલે ગૃહ વિભાગની સૂચના બાદ એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને કાર્યવાહીના ભાગરૂપે ભાજપના નેતા, બે પત્રકાર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.  


સોશિયલ મીડિયા પર બનાવટી એફિડેવિટ થઈ વાયરલ 

ખોટા બળાત્કારના કેસમાં બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં નિવૃત્ત ડીજીપીને ખોટા કેસમાં ફસાવવાની કોશિશ કરાઈ હતી. જાતિય શોષણના કેસમાં ખોટી રીતે ફસાવવા અને તેમને બદનામ કરવા એક બનાવટી એફિડેવિટ બનાવામાં આવી હતી. આ એફિડેવિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એટીએસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી હતી. ખોટી રીતે ફસાવવા મામલે 5ની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ભાજપના નેતા, 2 પત્રકાર સહિત 5 લોકોનો સમાવેશ થાય છે. 


પાંચ લોકો સામે કરાઈ કાર્યવાહી 

મળતી માહિતી અનુસાર ભાજપના નેતાએ ગાંધીનગરના પત્રકારો સાથે મળીને આખું ષડયંત્ર રચ્યું હતું. મહિલા પર દબાણ કરીને દુષ્કર્મનું સોગંદનામું કરી અધિકારીને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પત્રકારોએ આ માટે 5 લાખ રુપિયા લીધા હતા. જો કે આ મામલામાં 8 કરોડની ખંડણી માગવામાં આવી હતી. જેમના નામ આશુતોષ અને કાર્તિક જાની હોવાનું સામે આવ્યું છે. 


દુષ્કર્મનું ખોટું સોગંદનામું બનાવી પૈસા પડાવવાની હતી ચાલ 

આ સિવાય ભાજપ ઓબીસી મોરચાના સ્થાનિક નેતા કાવતરાનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. મહિલા સાથે દુષ્કર્મનું ખોટું સોગંદનામું બનાવીને પૈસા પડાવવાની યોજના બનાવવામાં આવી હતી. એફિડેવિટ વાયરલ કરવા માટે અને ન્યુઝપેપરમાં છપાવવા માટે પૈસા લીધા હતા. જે લોકોની ધરપકડ કરવામાં આવી તેમાં જી.કે પ્રજાપતિ, આશુતોષ, કાર્તિક જાની સહિત પાંચ લોકો સામે પગલાં લીધા છે.      




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!