બળાત્કારના ખોટા કેસમાં નિવૃત્ત અધિકારીને ફસાવવા રચાયું કાવતરૂ, પાંચ લોકોની કરાઈ ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-02-13 14:35:18

ગુજરાતમાં પૂર્વ આઈપીએસ અને નિવૃત્ત ડીજીપી કક્ષાના અધિકારીને ખોટી રીતે ફસાવવા તેમજ બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર એક બનાવટી એફિડેવિટ વાયરલ થઈ હતી જેને કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ખળખળાટ વ્યાપી ઉઠ્યો હતો. આ સમગ્ર મામલે ગૃહ વિભાગની સૂચના બાદ એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને કાર્યવાહીના ભાગરૂપે ભાજપના નેતા, બે પત્રકાર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.  


સોશિયલ મીડિયા પર બનાવટી એફિડેવિટ થઈ વાયરલ 

ખોટા બળાત્કારના કેસમાં બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં નિવૃત્ત ડીજીપીને ખોટા કેસમાં ફસાવવાની કોશિશ કરાઈ હતી. જાતિય શોષણના કેસમાં ખોટી રીતે ફસાવવા અને તેમને બદનામ કરવા એક બનાવટી એફિડેવિટ બનાવામાં આવી હતી. આ એફિડેવિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એટીએસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી હતી. ખોટી રીતે ફસાવવા મામલે 5ની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ભાજપના નેતા, 2 પત્રકાર સહિત 5 લોકોનો સમાવેશ થાય છે. 


પાંચ લોકો સામે કરાઈ કાર્યવાહી 

મળતી માહિતી અનુસાર ભાજપના નેતાએ ગાંધીનગરના પત્રકારો સાથે મળીને આખું ષડયંત્ર રચ્યું હતું. મહિલા પર દબાણ કરીને દુષ્કર્મનું સોગંદનામું કરી અધિકારીને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પત્રકારોએ આ માટે 5 લાખ રુપિયા લીધા હતા. જો કે આ મામલામાં 8 કરોડની ખંડણી માગવામાં આવી હતી. જેમના નામ આશુતોષ અને કાર્તિક જાની હોવાનું સામે આવ્યું છે. 


દુષ્કર્મનું ખોટું સોગંદનામું બનાવી પૈસા પડાવવાની હતી ચાલ 

આ સિવાય ભાજપ ઓબીસી મોરચાના સ્થાનિક નેતા કાવતરાનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. મહિલા સાથે દુષ્કર્મનું ખોટું સોગંદનામું બનાવીને પૈસા પડાવવાની યોજના બનાવવામાં આવી હતી. એફિડેવિટ વાયરલ કરવા માટે અને ન્યુઝપેપરમાં છપાવવા માટે પૈસા લીધા હતા. જે લોકોની ધરપકડ કરવામાં આવી તેમાં જી.કે પ્રજાપતિ, આશુતોષ, કાર્તિક જાની સહિત પાંચ લોકો સામે પગલાં લીધા છે.      




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.