ચૂંટણી ટાણે જ લલિત વસોયાનો ભાજપ પ્રેમ છલકાયો, આ વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2022-11-06 21:24:25


કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. લલિત વસોયા પણ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ પણ અવારનવાર રાજકીય વર્તુળોમાં થતી રહી છે. જો કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોરશોર પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે લલિત વસોયા તેમની કટ્ટક પ્રતિસ્પર્ધી પાર્ટી ભાજપને ચૂંટણીમાં ફાયદો થાય તેવું નિવેદન આપતા વિવાદ સર્જાયો છે. 


શું કહ્યું લલિત વસોયાએ?


વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે શરૂ કરેલી પરિવર્તન યાત્રા આજે ધોરાજી પહોંચી હતી. આ નિમિત્તે ગુજરાત કોંગ્રેસ દ્વારા ધોરાજીમાં જાહેરસભા યોજાઇ હતી. જેમાં તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ધોરાજીની આ જનસભામાં જાહેરમંચ પરથી લલિત વસોયાએ લોકોને સંબોધતા કહ્યું  કે "જો તમે આમ આદમી પાર્ટીને મત આપવાનાં હો તો તેના કરતા ભાજપને જ મત આપજો. ભાજપ દ્વારા પોતાની બી ટીમ તરીકે આપને ઉતારવામાં આવી છે. ભાજપને ખબર છે કે આ વખતે જીતી શકાય તેમ નથી. તેવામાં ગુજરાત કોંગ્રેસને હરાવવા માટે પોતાની બી ટીમ લઇને ઉતરી રહી છે." લલિત વસોયાના આ નિવેદન બાદ સભામાં સોંપો પડી ગયો હતો અને નેતાજી આ શું બોલી ગયા તેવો ગણગણાટ શરૂ થયો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.