કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાનો કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-14 15:28:28

અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર વટવા વિધાનસભા ક્ષેત્ર અને જમાલપુર ખાડિયા વિધાનસભા ક્ષેત્રના લોકોએ વિવિધ માગણીઓ સાથે વિરોધ નોંધાવ્યો હતો. 


ઈમરાન ખેડાવાલા સામે NSUIનો વિરોધ

અમદાવાદના એનએસયુઆઈના કાર્યકર્તાઓએ જમાલપુર ખાડિયા વિસ્તારમાં ઈમરાન ખેડાવાલાને કોંગ્રેસે રીપીટ કરતા વિરોધ નોંધાવ્યો હતો. એનએસયુઆઈના કાર્યકર્તાઓની માગણી છે કે ઈમરાન ખેડાવાલા ભલે સ્થાનિક હોય પણ તેમના સિવાય અન્ય વ્યક્તિને મોકો આપવામાં આવે. ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપવા બદલ એનએસયુઆઈએ પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે ભરતસિંહ સોલંકીએ પાંચ કરોડમાં ટિકિટ વેંચી છે.  પ્રદેશ કાર્યાલય પર પહોંચી એનએસયુઆઈના કાર્યકર્તાઓએ તોડફોડ કરીને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના નામના નારા લગાવ્યા હતા અને કોંગ્રેસ કાર્યાલયના ગેટ પર સ્પ્રે છાંટીને લખાણો કર્યા હતા. કાર્યકર્તાઓની માગણી હતી કે જમાલપુર ખાડિયા પર ઈમરાન ખેડાવાલાની જગ્યાએ અન્ય કોઈ નેતાને ઉમેદવાર બનાવવામાં આવે.  


વટવાના સ્થાનિકોનો વિરોધ 

વટવા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. વટવા બેઠક પર બળવંતસિંહ ગઢવીની જગ્યાએ સ્થાનિક વ્યક્તિને ટિકિટ અપાય તેવી માગ સાથે વટવાના સ્થાનિક કોંગ્રેસી નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. વટવા વિધાનસભા વિસ્તારના ચારસો જેટલા કાર્યકર્તાઓએ પોતાના રાજીનામા સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચી ગયા હતા. તેમણે માગણી કરી હતી કે બળવંતસિંહ ગઢવીની જગ્યાએ તેમની પાર્ટી કોઈ અન્ય સ્થાનિક વ્યક્તિને ઉમેદવાર બનાવે. બળવંતસિંહ ગઢવી બહારના વ્યક્તિ હોવાના કારણે સ્થાનિક લોકોએ રાજીનામા સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!