કોંગ્રેસે વાઘોડિયા માટે સત્યજીત ગાયકવાડને ટિકિટ અપાતા કોંગ્રેસના કાર્યકરો નારાજગી દર્શાવી


  • Published By :
  • Published Date : 2022-11-14 17:42:50

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પડઘમ વાગી ગયા છે. ત્યારે દરેક પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ જાહેર કરવામાં આવેલા ઉમેદવારને લઈ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાઘોડિયાની બેઠક પર કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને ટિકિટ આપવામાં આવી છે જેને લઈ કોંગ્રેસમાં ભડકો થઈ શકે છે. 

The Congress faces 11 elections — and a moment of reckoning | Latest News  India - Hindustan Times

સામુહિક રાજીનામાની ઉચ્ચારી ચીમકી 

કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ અનેક બેઠકો માટે જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાઘોડિયામાં કોંગ્રેસ દ્વારા સત્યજીત ગાયકવાડને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે કે કોઈ સ્થાનિક ક્ષત્રીય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. કાર્યકરોની માગ છે કે કોઈ સ્થાનિક ક્ષત્રીય ઉમેદવાર કે પછી તત્કાલીન ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહના પુત્રને ટિકિટ આપવાની માગ કરવામાં આવી રહી છે. જો પાર્ટી દ્વારા તેમની માગનો સ્વીકાર કરવામાં નહીં આવે તો કોંગ્રેસમાંથી સામુહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 


ટિકિટને લઈ દરેક પાર્ટીમાં જોવા મળી રહ્યો છે આંતરિક વિખવાદ    

ચૂંટણી નજીક આવતા અને ખાસ કરી ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ પાર્ટીમાં ચાલતા આંતરિક વિવાદ સામે આવી રહ્યા છે. અનેક કાર્યકરો નારાજ થઈ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. અનેક બેઠકો પર સ્થાનિક ઉમેદવારોને ટિકિટ ન અપાતા ભારે વિરોધ થઈ રહ્યો છે. આવી સ્થિતિ દરેક પાર્ટીમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા સામે આવી જતા હોય છે. જેને કારણે પાર્ટીને નુકસાન વેઠવું પડે છે.         




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!