કોંગ્રેસે વાઘોડિયા માટે સત્યજીત ગાયકવાડને ટિકિટ અપાતા કોંગ્રેસના કાર્યકરો નારાજગી દર્શાવી


  • Published By :
  • Published Date : 2022-11-14 17:42:50

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પડઘમ વાગી ગયા છે. ત્યારે દરેક પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ જાહેર કરવામાં આવેલા ઉમેદવારને લઈ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાઘોડિયાની બેઠક પર કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને ટિકિટ આપવામાં આવી છે જેને લઈ કોંગ્રેસમાં ભડકો થઈ શકે છે. 

The Congress faces 11 elections — and a moment of reckoning | Latest News  India - Hindustan Times

સામુહિક રાજીનામાની ઉચ્ચારી ચીમકી 

કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ અનેક બેઠકો માટે જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાઘોડિયામાં કોંગ્રેસ દ્વારા સત્યજીત ગાયકવાડને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે કે કોઈ સ્થાનિક ક્ષત્રીય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. કાર્યકરોની માગ છે કે કોઈ સ્થાનિક ક્ષત્રીય ઉમેદવાર કે પછી તત્કાલીન ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહના પુત્રને ટિકિટ આપવાની માગ કરવામાં આવી રહી છે. જો પાર્ટી દ્વારા તેમની માગનો સ્વીકાર કરવામાં નહીં આવે તો કોંગ્રેસમાંથી સામુહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 


ટિકિટને લઈ દરેક પાર્ટીમાં જોવા મળી રહ્યો છે આંતરિક વિખવાદ    

ચૂંટણી નજીક આવતા અને ખાસ કરી ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ પાર્ટીમાં ચાલતા આંતરિક વિવાદ સામે આવી રહ્યા છે. અનેક કાર્યકરો નારાજ થઈ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. અનેક બેઠકો પર સ્થાનિક ઉમેદવારોને ટિકિટ ન અપાતા ભારે વિરોધ થઈ રહ્યો છે. આવી સ્થિતિ દરેક પાર્ટીમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા સામે આવી જતા હોય છે. જેને કારણે પાર્ટીને નુકસાન વેઠવું પડે છે.         




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.