શિક્ષણ મુદ્દે કોંગ્રેસ કરશે સરકારને ઘેરવાનો પ્રયાસ, Gyan sahayakનો Congress કરશે વિરોધ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-05 16:58:45

ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં  આવે તે માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. વિવિધ પ્રકારે ઉમેદવારોએ પોતાનો વિરોધ નોંધાવ્યો. પરંતુ સરકાર પોતાના નિર્ણય ઉપર અટલ છે. સરકાર ટસની મસ નથી થઈ. ઉમેદવારોના સમર્થનમાં ભાજપના અનેક ધારાસભ્યોએ પત્રો લખ્યા હતા. ભાજપ સિવાય કોંગ્રેસના ધારાસભ્યો પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે ત્યારે આવતી કાલે જ્ઞાન સહાયકોના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ ધરણા કરશે તેવી માહિતી સામે આવી છે. શિક્ષણ બચાવો ધરણા કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.

શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન કથળતી જઈ રહી છે 

શિક્ષણની પરિસ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. શિક્ષણની પરિસ્થિતિ કયા હદ સુધી લથતી ગઈ છે તે આપણે સૌ જાણીએ છીએ. શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે. બાળકોને ભણાવવા મોંધું થઈ રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં શાળાની હાલત એકદમ જર્જરિત હોય, શાળામાં શિક્ષકો ન હોય વગેરે વગેરે... શિક્ષણ મેળવવો દરેક બાળકોનો અધિકાર છે. જો બાળકને શિક્ષણ સારૂ મળ્યું હશે તો તે પોતાના જીવનમાં પ્રગતિ કરી શકશે. પોતાના પગ પર ઉપર ઉભો રહી શકે છે. પરંતુ જે હાલત હમણાં શિક્ષણની થઈ ગઈ છે તે દયનીય છે.

  

અલગ અલગ રીતે સરકારને કરી છે રજૂઆત 

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે ચાલી નિકળ્યા છે. અલગ અલગ રીતે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. જ્ઞાન સહાયકને રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિત અનેક અધિકારીઓને પત્ર લખી તેમને પોતાની વાત રજૂ કરી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહી. ત્યારે ભગવાનના શરણે પણ ઉમેદવારો પોતાની માગ સાથે ગયા હતા. હનુમાનજીને, શિવજીને, ગણપતિજીને પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી. તે ઉપરાંત ગાંધી જયંતિના ગાંધીને પત્ર ઉમેદવારોએ લખ્યો હતો. યુવરાજસિંહ પણ તેમની સાથે આવ્યા હતા. મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રેલી કરી હતી. ત્યારે આવતી કાલે ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ ધરણા કરવાના છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!