Gujaratમાં Congress કાઢશે ન્યાય યાત્રા, દુર્ઘટનાઓમાં પીડિતોને ન્યાય અપાવા કોંગ્રેસ મેદાને, જાણો શું રહેશે યાત્રાનો રૂટ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-13 16:58:19

ગુજરાતમાં છેલ્લા એક બે વર્ષમાં એટલી બધી દુર્ઘટનાઓ બની છે કે વાત ન પૂછો મોરબી દુર્ઘટનાથી લઇને રાજકોટ અગ્નિકાંડ સુધી.. પીડિતોની એક જ માંગ કે અમને ન્યાય મળે.. પીડિત પરિવારને ન્યાય જોઈએ છે પરંતુ તેમને સરકાર પાસેથી તેમને આશા નથી તેવું તેમનું કહેવું છે.. ત્યારે પીડિત પરિવારને ન્યાય અપાવા માટે વિપક્ષ મેદાને આવ્યું છે. પીડિત પરિવારને ન્યાય અપાવા માટે વિપક્ષ ન્યાય યાત્રા કાઢવાની છે.. 

ન્યાય યાત્રાનો આ રહેશે રૂટ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં તપાસનો સીલસિલો યથાવત છે. પીડિત પરિવારને ન્યાય અપાવા કોંગ્રેસ મેદાને આવ્યું છે. કોંગ્રેસ મોરબીથી રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સુધી ન્યાય યાત્રા કાઢવાની છે. ન્યાય યાત્રા ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં શરૂ થશે. પીડિતો પરિવારોને ઝડપી ન્યાય મળે અને જવાબદારો સામે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય એવી માગ સાથે કોંગ્રેસ મેદાને આવ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ઓગસ્ટ મહિનાનાં પહેલા સપ્તાહ દરમિયાન મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે. 


રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે

આ ન્યાય યાત્રા મોરબીથી રાજકોટ પહોંચશે અને ત્યારબાદ અમદાવાદથી સુરત જશે. આ ન્યાય યાત્રામાં દેશભરમાંથી અલગ-અલગ સંગઠનના લોકો જોડાશે. તેમ લાલજીભાઈએ પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી હતી. તે પત્રકાર પરિષદમાં જીગ્નેશ મેવાણી પણ હાજર હતા..મહત્વનું છે રાહુલ ગાંધી જ્યારે કોંગ્રેસ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા ત્યારે તે આ લોકોને મળ્યા હતા અને આશ્વાશન આપ્યું હતું કે તેમનો મુદ્દો સંસદમાં મુકશે. તો હવે પીડિતોને ક્યારે ન્યાય મળે છે કે નહીં તે જોવાનું રહ્યું.. 




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.