Gujaratમાં Congress કાઢશે ન્યાય યાત્રા, દુર્ઘટનાઓમાં પીડિતોને ન્યાય અપાવા કોંગ્રેસ મેદાને, જાણો શું રહેશે યાત્રાનો રૂટ?


  • Published By :
  • Published Date : 2024-07-13 16:58:19

ગુજરાતમાં છેલ્લા એક બે વર્ષમાં એટલી બધી દુર્ઘટનાઓ બની છે કે વાત ન પૂછો મોરબી દુર્ઘટનાથી લઇને રાજકોટ અગ્નિકાંડ સુધી.. પીડિતોની એક જ માંગ કે અમને ન્યાય મળે.. પીડિત પરિવારને ન્યાય જોઈએ છે પરંતુ તેમને સરકાર પાસેથી તેમને આશા નથી તેવું તેમનું કહેવું છે.. ત્યારે પીડિત પરિવારને ન્યાય અપાવા માટે વિપક્ષ મેદાને આવ્યું છે. પીડિત પરિવારને ન્યાય અપાવા માટે વિપક્ષ ન્યાય યાત્રા કાઢવાની છે.. 

ન્યાય યાત્રાનો આ રહેશે રૂટ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં તપાસનો સીલસિલો યથાવત છે. પીડિત પરિવારને ન્યાય અપાવા કોંગ્રેસ મેદાને આવ્યું છે. કોંગ્રેસ મોરબીથી રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સુધી ન્યાય યાત્રા કાઢવાની છે. ન્યાય યાત્રા ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં શરૂ થશે. પીડિતો પરિવારોને ઝડપી ન્યાય મળે અને જવાબદારો સામે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય એવી માગ સાથે કોંગ્રેસ મેદાને આવ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ઓગસ્ટ મહિનાનાં પહેલા સપ્તાહ દરમિયાન મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે. 


રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે

આ ન્યાય યાત્રા મોરબીથી રાજકોટ પહોંચશે અને ત્યારબાદ અમદાવાદથી સુરત જશે. આ ન્યાય યાત્રામાં દેશભરમાંથી અલગ-અલગ સંગઠનના લોકો જોડાશે. તેમ લાલજીભાઈએ પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી હતી. તે પત્રકાર પરિષદમાં જીગ્નેશ મેવાણી પણ હાજર હતા..મહત્વનું છે રાહુલ ગાંધી જ્યારે કોંગ્રેસ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા ત્યારે તે આ લોકોને મળ્યા હતા અને આશ્વાશન આપ્યું હતું કે તેમનો મુદ્દો સંસદમાં મુકશે. તો હવે પીડિતોને ક્યારે ન્યાય મળે છે કે નહીં તે જોવાનું રહ્યું.. 




ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.