લોકો સુધી પહોંચવા 26 જાન્યુઆરીથી કોંગ્રેસ નવા અભિયાનની કરશે શરૂઆત


  • Published By :
  • Published Date : 2022-12-04 15:56:43

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે ભારત જોડો યાત્રા સમાપ્ત થાય તે બાદ આગામી સમયમાં કોંગ્રેસ હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવાની છે. આ અભિયાનની શરૂઆત 26 જાન્યુઆરીથી કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત બ્લોક, પંચાયત અને બૂથ પર જઈ લોકો સાથે સંપર્ક બાંધવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. અભિયાનમાં રાહુલ ગાંધીનો એક પત્ર પણ આપવામાં આવશે. 

હાથ સે હાથ જોડો અભિયાનની કરાશે શરૂઆત

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા હાલ રાજસ્તાન નજીક પહોંચી છે. ત્યારે લોકો સુધી પહોંચવા કોંગ્રેસ આવનાર સમયમાં નવું અભિયાન શરૂ કરવાની છે. ભારત જોડો યાત્રાની સમાપ્તિ બાદ કોંગ્રેસ હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવાની છે. દેશભરમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ અભિયાનથી જનસંપર્ક વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ અભિયાનની માહિતી આપતા કોંગ્રેસે કહ્યું કે 2 મહિના સુધી ચાલનાર આ અભિયાનમાં રાહુલ ગાંધીનો એક પત્ર પણ આપવામાં આવશે અને નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ આરોપ પત્ર પણ આપવામાં આવશે.



એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.