રાહુલ ગાંધીને મળેલી સજાને લઈ કોંગ્રેસ કરશે વિરોધ! મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળી હતી બેઠક


  • Published By :
  • Published Date : 2023-03-24 10:07:27

મોદી અટકને લઈ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સુરત કોર્ટે ચૂકાદો આપ્યો હતો. જેમાં રાહુલ ગાંધીને દોષિત ગણાવ્યા હતા. બે વર્ષ સજાની જોગવાઈ કરવામાં આવી હતી. કોર્ટે સજા સામે અપીલ કરવા માટે રાહુલ ગાંધીને શરતી જામીન આપ્યા છે. કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસના  નેતાઓ એક્ટિવ મોડમાં આવી ગયા છે. કોંગ્રેસના નેતાઓએ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. દિલ્હીના કોંગ્રેસ મુખ્ય કાર્યાલય ખાતે સાંજના સમયે મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે જેમાં આ અંગે આગળ કેવી રીતે વધવું તે માટે રણનીતિ ઘડવામાં આવશે.   


સુરત કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષી ગણાવ્યા 

ગઈ કાલે સુરતની કોર્ટે ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈ પોતાનો ચૂકાદો આપ્યો હતો. કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે ઉપરાંત બે વર્ષની સજા પણ સંભળાવી છે. જે બાદ કોંગ્રેસના નેતાઓ લડી લેવાના મૂડમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીના સપોર્ટમાં કોંગ્રેસના નેતાઓ આવી ગયા હતા. આ મુદ્દે આગળ કેવી રીતે વધવું તે માટે મલ્લિકાર્જુન ખડગેના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવામાં આવી હતી. 



સોમવારે અનેક રાજ્યોમાં કોંગ્રેસ કરશે પ્રદર્શન 

ગુરૂવારે મલ્લિકાર્જુન ખડગેના ઘરે કોંગ્રેસના નેતાઓની બેઠક બોલાવામાં આવી હતી જેમાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે શુક્રવારે વિજય ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ઉપરાંત સોમવારે દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં આ વાતને લઈ વિરોધ કરવામાં આવશે. 


રાષ્ટ્રપતિ સાથે પણ કરી શકે છે મુલાકાત 

રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજાને કોંગ્રેસ રાજનૈતિક મુદ્દો બનાવવાની તૈયારી કરી રહી છે. આ મુદ્દાને લઈ આવનાર સમયમાં સમગ્ર દેશમાં પ્રદર્શન કરવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીને મળેલી સજાને ધ્યાનમાં રાખી કોંગ્રેસના નેતાઓએ મહત્વપૂર્ણ બેઠકો પણ યોજી હતી ઉપરાંત મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરવાના છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!