કોંગ્રેસ મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને પાઠવશે શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2022-10-31 13:31:49

ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે અનેક રેલીઓ કાઢતી હોય છે. પરંતુ પ્રચારના સમય દરમિયાન મોરબીમાં દુર્ઘટના સર્જાઈ છે. જેને કારણે પાર્ટીઓએ પોતાના કાર્યક્રમોને રદ્દ કરી દીધા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ગુજરાતના તમામ જીલ્લા મથકેથી કેન્ડલ માર્ચ નીકાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 
કેન્ડલ માર્ચ કરી મૃતકોને પાઠવશે શ્રદ્ધાંજલિ

મોરબી ખાતે બનેલી દુર્ઘટનાને કારણે આખું ગુજરાત શોકમાં ડૂબી ગયું છે. આ ઘટનાએ દરેકને કંપાવી નાખ્યા છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે ત્યારે મોરબી ઝુલતા પુલ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. આ ઘટનાને પગલે કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રાને પણ મોકૂફ રાખી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.