Gujaratમાં ઓગસ્ટ મહિનામાં કોંગ્રેસ યોજશે ન્યાયયાત્રા, રાહુલ ગાંધી આવી શકે છે ગુજરાત, જીગ્નેશ મેવાણીએ કરી પ્રેસ કોન્ફરન્સ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-06 16:56:02

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ન્યાય યાત્રા યોજવામાં આવશે. મોરબી ઝુલતો પુલ, રાજકોટ આગ દુર્ઘટના, વડોદરા હરણી તળાવ કાંડ, સુરત તક્ષશિલા આગ કાંડ જેવી ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ ન્યાય યાત્રામાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ સામેલ થઈ શકે છે.

ઓગસ્ટ મહિનામાં કોંગ્રેસ કાઢશે ન્યાય યાત્રા 

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા બે ભાગમાં ન્યાય યાત્રાનું આયોજન થશે. પ્રથમ ન્યાય યાત્રા ઓગસ્ટના બીજા સપ્તાહમાં મોરબીથી શરૂ થશે. 9 ઓગસ્ટથી આ ન્યાય યાત્રાનો રૂટ મોરબીથી રાજકોટ, ચોટીલા અને વિરમગામ સુધીનો રહેશે. કોંગ્રેસ દ્વારા રાજકોટ ગેમ ઝોન આગકાંડ, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અને થાન સહિતના પીડિતોને ન્યાય અપાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કાની ન્યાય યાત્રાની શરૂઆત સુરતથી કરવામાં આવશે. 22-23 ઓગસ્ટ સુધી આ ન્યાય યાત્રા ચાલશે.. 



રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે આ ન્યાય યાત્રામાં 

ગુજરાત કોંગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રામાં સામેલ થવા માટે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતમાં મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 130 કરતા વધુ લોકોના મોત થયા હતા. તો રાજકોટમાં ગેમઝોનમાં અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પણ 27 લોકોના મોત થયા હતા. ઉપરાંત સુરતમાં તક્ષશિલા આગકાંડમાં પણ લોકોના મોત થયા હતા.



આ ન્યાય યાત્રામાં અનેક દુર્ઘટનાના પીડિતો જોડાશે!

રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના કાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીથી આ ન્યાય યાત્રાની શરૂઆત થશે.  



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.