UPની આ 17 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે, સપા સહિત INDIA ગઠબંધનના અન્ય પક્ષોને મળી 63 સીટ


  • Published By :
  • Published Date : 2024-02-21 19:01:27

ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીમાં વિપક્ષનું ચિત્ર હવે અમુક અંશે સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. વિપક્ષી ગઠબંધન તૂટવાના મીડિયા રિપોર્ટ વચ્ચે હવે બંને પક્ષો એકસાથે આવતા જણાય છે. હવે અખિલેશની સાથે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ગર્જના કરતા જોવા મળશે. હાલમાં, અખિલેશ યાદવ યુપીના રાજકીય મેદાન પર ભાજપની સામે એકલા હાથે લડતા જોવા મળ્યા હતા. પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બુધવારે સાંજે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. યુપી કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય અને સપાના રાજેન્દ્ર ચૌધરી અને પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલે સંયુક્ત પત્રકાર પરિષદમાં ગઠબંધનની જાહેરાત કરી હતી.




કોંગ્રેસ UPમાં આ 17 સીટો પર ચૂંટણી લડશે


ઉત્તર પ્રદેશની 17 બેઠકો જેના પર કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડશે. તેમાં રાયબરેલી, અમેઠી, કાનપુર નગર, ફતેહપુર સિકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી, દેવરિયાનો સમાવેશ થાય છે.


ચંદ્રશેખર આઝાદ પણ ઝંપલાવશે


સપા અને કોંગ્રેસે નક્કી કર્યું છે કે લોકસભાની 80 સીટોમાંથી કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે અને બાકીની 63 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. એવું માનવામાં આવી રહ્યું છે કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ 62 સીટો પર અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ એક સીટ પર ચૂંટણી લડશે. ચંદ્રશેખર આઝાદ  મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ખજુરાહો પર સપા એક સીટ પર ચૂંટણી લડશે. MPમાં બાકીની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપશે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.