કોંગ્રેસ જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો


  • Published By :
  • Published Date : 2022-11-12 11:04:32

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરે તે પહેલા  ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો છે જેમાં કોંગ્રેસે લખ્યું છે કે જન-જનની સમસ્યાનું નિવારણ અને સૌની ખુશહાલી એટલે કોંગ્રેસનું ઘોષણા પત્ર.

  

મતદારોને રિઝવવાનો કોંગ્રેસ કરશે પ્રયાસ

વિધાનસભા ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. કોંગ્રેસ ત્રણ વખત લિસ્ટ બહાર પાડી ઉમેદવારોના નામની ઘોષણા કરી છે જ્યારે ભાજપે પણ 166 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે કોંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે. જેમાં ખેડૂતોની દેવા માફી, 500 રૂપિયામાં ગેસનો બાટલો, તેમજ 300 યુનિટ વીજળી ફ્રીના વાયદાઓ આપવામાં આવ્યા છે. 

Image  

"કોંગ્રેસ જનઘોષણા પત્ર 2022 જનતાની સરકાર'થી ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે. ચૂંટણી માટે રાહુલ ગાંધી દ્વારા અપાયેલા વચનો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પોતાના આ વચનો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવસે તે અંગે સૌ કોઈને આતુરતા રહે છે. ત્યારે  કોંગ્રેસ બાકી રહેલા ઉમેદવારોના નામની ક્યારે જાહેરાત કરશે તેની પર સૌની નજર રહેશે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.