OBC મતદારોને રિઝવવા કોંગ્રેસે મારી સોગઠી, 'આગામી CM ઠાકોર હશે'


  • Published By :
  • Published Date : 2022-12-02 19:01:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે ત્યારે બીજા તબક્કાની ચૂંટણી પહેલા કોંગ્રેસે નવો દાવ ખેલ્યો છે. મળતી માહિતી અનુસાર જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ઠાકોર સમાજ માંથી મુખ્યમંત્રી બનશે. ઉપરાંત ગુજરાતમાં ત્રણ ઉપ-મુખ્યમંત્રી હશે તેવું સૂત્રોનું માનવું છે.

Congress President Mallikarjun Kharge praised the vision of CM Ashok Gehlot  - मल्लिकार्जुन खड़गे ने की 'राजस्थान माॅडल' की तारीफ, अशोक गहलोत को मिली  संजीवनी

ઠાકોર સમાજમાંથી હશે મુખ્યમંત્રી

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. ચૂંટણી પહેલા ભાજપે અને આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે પરંતુ કોંગ્રેસે આ અંગે કોઈ જાહેરાત નથી કરી. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો મુખ્યમંત્રી ઠાકોર સમાજમાંથી બનશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ત્રણ ઉપમુખ્યમંત્રી હશે જે SC,ST અને અલ્પસંખ્યક માંથી હશે. આ નિર્ણય અશોક ગેહલોત અને મલ્લિકાર્જુન ખડગેની બેઠક બાદ લેવાયો છે. 

ઘરડા ઘરભંગાવે! છાપેલા કાટલાઓથી કંટાળેલી કોંગ્રેસ હવે યુવા-મહિલાઓને  પ્રાધાન્ય આપશે

ગુજરાતમાં હશે ત્રણ ઉપમુખ્યમંત્રી!!!

બીજા તબક્કા માટેની ચૂંટણી પહેલા દરેક પાર્ટી પ્રચારમાં વ્યસ્ત થઈ છે. ભાજપનો પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા મલ્લિકાર્જુન ખડગે તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની રાજનીતિને લઈ કોંગ્રેસે એક નિર્ણય કર્યો છે. જો 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવામાં આવશે તેવી વિચારણા કરવામાં આવી રહી છે એવું સૂત્રોનું કહેવું છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.