OBC મતદારોને રિઝવવા કોંગ્રેસે મારી સોગઠી, 'આગામી CM ઠાકોર હશે'


  • Published By :
  • Published Date : 2022-12-02 19:01:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે ત્યારે બીજા તબક્કાની ચૂંટણી પહેલા કોંગ્રેસે નવો દાવ ખેલ્યો છે. મળતી માહિતી અનુસાર જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ઠાકોર સમાજ માંથી મુખ્યમંત્રી બનશે. ઉપરાંત ગુજરાતમાં ત્રણ ઉપ-મુખ્યમંત્રી હશે તેવું સૂત્રોનું માનવું છે.

Congress President Mallikarjun Kharge praised the vision of CM Ashok Gehlot  - मल्लिकार्जुन खड़गे ने की 'राजस्थान माॅडल' की तारीफ, अशोक गहलोत को मिली  संजीवनी

ઠાકોર સમાજમાંથી હશે મુખ્યમંત્રી

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. ચૂંટણી પહેલા ભાજપે અને આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે પરંતુ કોંગ્રેસે આ અંગે કોઈ જાહેરાત નથી કરી. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો મુખ્યમંત્રી ઠાકોર સમાજમાંથી બનશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ત્રણ ઉપમુખ્યમંત્રી હશે જે SC,ST અને અલ્પસંખ્યક માંથી હશે. આ નિર્ણય અશોક ગેહલોત અને મલ્લિકાર્જુન ખડગેની બેઠક બાદ લેવાયો છે. 

ઘરડા ઘરભંગાવે! છાપેલા કાટલાઓથી કંટાળેલી કોંગ્રેસ હવે યુવા-મહિલાઓને  પ્રાધાન્ય આપશે

ગુજરાતમાં હશે ત્રણ ઉપમુખ્યમંત્રી!!!

બીજા તબક્કા માટેની ચૂંટણી પહેલા દરેક પાર્ટી પ્રચારમાં વ્યસ્ત થઈ છે. ભાજપનો પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા મલ્લિકાર્જુન ખડગે તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની રાજનીતિને લઈ કોંગ્રેસે એક નિર્ણય કર્યો છે. જો 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવામાં આવશે તેવી વિચારણા કરવામાં આવી રહી છે એવું સૂત્રોનું કહેવું છે.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!