વિધાનસભા ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ થયા સક્રિય, અશોક ગેહલોત ગુજરાતની લેશે મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 11:24:03

વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અને આમ આદમી પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. પ્રચાર કરી મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. પ્રચાર માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પરતું કોંગ્રેસમાંથી કોઈ પણ દિગ્ગજ નેતા ગુજરાતના પ્રવાસે નથી આવ્યા. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 17 અને 18 ઓક્ટોબરના રોજ ગેહલોત ગુજરાતના પ્રવાસે છે. 

What Ashok Gehlot said amid buzz about him quitting as Rajasthan CM. Watch  | Latest News India - Hindustan Times

ગુજરાત આવી રાજસ્થાનના મુખ્યમંત્રી કરશે કોંગ્રેસનો પ્રચાર

ગુજરાતમાં પોતાની સરકાર બનાવા આમ આદમી પાર્ટી અને ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. પ્રચાર પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આપનો પ્રચાર અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી રહ્યા છે. તો ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી પોતે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસને જાણે ગુજરાતમાં ચૂંટણી જીતવાનો રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસના કોઈ પણ દિગ્ગજ નેતા ગુજરાતની મુલાકાતે નથી આવ્યા. નથી તો રાહુલ ગાંધી આવ્યા નથી તો પ્રિયંકા ગાંધી આવ્યા. ત્યારે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના વફાદાર ગણાતા એવા રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 17 અને 18 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવી કોંગ્રેસનો પ્રચાર કરવાના છે. 

બેઠક કરી ઘડશે રણનીતિ

17 ઓક્ટોબરના રોજ ગેહલોત રાધનપુર ખાતે સાંજે સભા સંબોધવાના છે. ત્યારબાદ 18 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે નેતાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠકો કરવાના છે. બેઠકમાં રણનીતિને આખરી ઓપ આપવામાં આવશે તેવી ચર્ચાઓ હાલ થઈ રહી છે. બેઠક બાદ થરાદ ખાતે રોડ શો કરી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરશે અને જનસભામાં કોંગ્રેસનો પ્રચાર કરશે.



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.