વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, કરાઇ એકેડેમીમાં થયેલા કૌભાંડ મામલે ચર્ચા કરવાની કરી હતી માગ, અધ્યક્ષે ધારાસભ્યોને કર્યા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-03-01 15:03:05

ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. વિવિધ મુદ્દાઓને લઈ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે. સત્ર શરૂ થયું તે પહેલા પેપર લીક મામલે કોંગ્રેસે દેખાવો કર્યો હતો. ત્યારે આજે કરાઈ એકેડેમીમાં પોલીસની ટ્રેનિંગ લઈ રહેલા બોગસ પીએસઆઈનો મુદ્દો પણ ઉછાળવામાં આવ્યો હતો. બોગસ ટ્રેનિંગ અંગે ચર્ચા કરવામાં આવે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. પ્લે કાર્ડ દર્શાવી કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. જોકે આ અંગે ચર્ચા ન કરાતા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું. જે બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ તેમજ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. 

      

ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા કરાઈ હતી રજૂઆત 

મંત્રી ઋષિકેશ પટેલે દેખાવ કરી રહેલા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને દરખાસ્ત કરી હતી. ઋષિકેશ પટેલની વાતનું સમર્થન કુબેરડીંડોરએ આપ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં જણાવ્યું કે ગૃહમાં ચર્ચા કરવાની બધાને છૂટ આપવામાં આવી છે. પેપર લીક મામલે સરકાર કાયદો લાવી છે. સાથી મિત્રોએ જે કરવું છે તે કરવા માટે ગૃહ નથી. સરકારની તાકાત છે કે સરકારે જે કરવું છે તે કરી શકે છે. 


વિધાનસભા બહાર હું તમામને જવાબ આપીશ- હર્ષ સંઘવી

આ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કરાઈ એકેડેમીનો મામલો ગંભીર છે. વિધાનસભા બહાર હું તમામના જવાબ આપીશ. આ ગંભીર ગુન્હાની તપાસ કેટલાય દિવસથી ચાલે છે. આ ઘટના પાછળ મોટુ રેકેટ છે. જવાબ આપવા માટે અમે તૈયાર છીએ આજે જવાબ જોઈએ તો ધારાસભ્ય મારા કાર્યાલયમાં આવે. આ બાબતે રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન ન થવો જોઈએ. 


અમિત ચાવડાએ આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધી પેપર લીક થાય છે. જેના માટે રાજ્ય સરકાર ગૃહમાં કાયદો લાવી. હવે એક મયુર તડવી નામનો વ્યક્તિ પરીક્ષા પાસ કર્યા વિના સીધો કરાઈ એકેડેમીમાં પીએસઆઈની તાલીમ મેળવી રહ્યો છે. 





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.