ગુજરાત વિધાનસભા ચૂંટણીને કોંગ્રેસે ગંભીરતાથી લીધી, પ્રચારના કર્યા શ્રીગણેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 10:24:31

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા પોતાની પાર્ટીનો પ્રચાર કરવા રાજકીય પ્રાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાનો પ્રચાર જોર શોરથી કરી રહી છે. પાર્ટીના કદાવર નેતા ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીને ગંભીરતાથી લીધી છે. ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે.

 

ગેહલોતે ભાજપ સરકારને લીધી આડેહાથ   

પોતાના પ્રવાસના પ્રથમ દિવસે અશોક ગેહલોતે રાધનપુર ખાતે કોંગ્રેસ દ્વારા આયોજીત મહાસંમેલનમાં ભાગ લીધો હતો. મહાસંમેલનમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ રાધનપુરના ધારાસભ્ય ઉપસ્થિત હતા. અશોક ગેહલોતે અનેક મુદ્દાને લઈ ભાજપ સરકારને ઘેરી હતી. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે ભાજપે પોતાની સરકાર બદલવી પડી હતી. 


અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવી એ મોટી ભૂલ હતી - ગેહલોત 

અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવી એ મારી સૌથી મોટી ભૂલ હતી. રઘુભાઇ 2017થી જ ટિકિટના સાચા દાવેદાર હતા, પણ બાય ઇલેક્શનમાં તમે રઘુભાઈને જીતાડી રાધનપુરની જનતાએ ખુબજ સુંદર કામ કર્યું છે. 

Ahead of polls, Cong wants Alpesh Thakor disqualified | Deccan Herald

સરકાર ફેલ જતા મુખ્યમંત્રી બદલવા પડ્યા - ગેહલોત

વધુમાં તેમણે જણાવ્યું કે ભાજપ સરકારના શાસનમાં દેશની હાલત ખરાબ થઈ ગઈ છે. ભાજપ સરકારમાં ઘમંડ છે ત્યારે ગુજરાત ભાજપને સબક શીખવાડશે. કોરોના સમયને યાદ કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં કોરોનાને કારણે ભાજપે પોતાની સરકાર બદલવી પડી હતી. ઓક્સિજન વિના લોકો મરી રહ્યા હતા. સરકાર ફેલ જતા મુખ્યમંત્રીને બદલી દેવા પડ્યા. અશોક ગેહલોતે કહ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો રાજસ્થાનમાં ચાલતી તમામ લોક ઉપયોગી યોજનાઓ ગુજરાતમાં પણ લાવવામાં આવશે. ભાજપની સાથે સાથે અશોક ગેહલોતે આમ આદમી પાર્ટી પર અને અરવિંદ કેજરીવાલ પર પણ પ્રહાર કર્યા હતા.  




Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.

એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.