કોંગ્રેસે ચૂૂંટણીને ગંભીરતાથી લીધી, ગુજરાતમાં શરૂ કર્યો ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 16:35:03

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ આપ અને ભાજપ ચૂંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આપ અને ભાજપ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસે પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ પદમા દાવેદાર મલ્લિકાર્જુન ખડગે ગુજરાતની મુલાકાતે આવ્યા છે.


મલ્લિકાર્જૂન ખડગે ગુજરાતની મુલાકાતે

આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી નજીક આવતા આપે અને ભાજપે ગુજરાતમાં પ્રચાર માટે નેતાઓની ફોજ ઉતારી છે. ભાજપે કેન્દ્રીય મંત્રી મંડળને ગુજરાતમાં ઉતાર્યા છે તો આમ આદમી પાર્ટીની પ્રચાર ખુદ અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. ત્યારે ચૂંટણીને લઈ કોંગ્રેસ પણ સક્રિય થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા મલ્લિકાર્જૂન ખડગે હાલ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. 

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોએ ખડગેનું સ્વાગત કર્યું હતું

ગાંધી આશ્રમથી શરૂ કરી યાત્રાની શરૂઆત

ઉલ્લેખનિય છે કે મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરૂર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીના દાવેદાર છે. અધ્યક્ષ પદના મુખ્ય દાવેદાર ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. મલ્લિકાર્જૂન ખડગેએ પોતાની યાત્રાની શરૂઆત ગાંધી આશ્રમની મુલાકાત લઈ કરી હતી. તેમની સાથે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, સાંસદ શક્તિસિંહ ગોહિલ, અને કોંગ્રેસના અનેક ધારાસભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.        




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.