મોરબીમાં થયેલી દુર્ઘટનાને પગલે કોંગ્રેસે લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-10-31 11:39:18

ગુજરાતના મોરબી ખાતે એક દિલ દુભાવી દે એવી દુ:ખદ ઘટના બની છે. ઝૂલતા પુલ તૂટી પડતા હોનારક સર્જાઈ છે. આ ઘટનામાં 130થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને કારણે સમગ્ર ગુજરાત શોકમાં ડૂબી ગયું છે. ગુજરાતમાં સવાર તો પડી છે પરંતુ મોરબીનો સૂરજ આક્રંદ લઈને આવ્યો છે. આ ઘટનાને લઈ રાજકીય પાર્ટીએ પોતાનો પ્રચાર કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રા કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબરના રોજ નીકળનારી આ યાત્રા હવે 1લી નવેમ્બરના રોજ નીકળવાની છે.


વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ કરાયો ફેરફાર

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીના સમયે પાર્ટી પ્રચારમાં વ્યસ્ત બનતી હોય છે. પરંતુ મોરબીની આ ઘટનાને કારણે કોંગ્રેસે પોતાના પ્રચાર કાર્યક્રમનો મોકૂફ રાખી છે. કોંગ્રેસ દ્વારા આયોજીત આ પરિવર્તન સંકલ્પ યાત્રાને નહીં કરવાનો નિર્ણય પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપે પણ પોતાના કાર્યક્રમને રદ્દ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ભાજપનો પ્રચાર કરવા તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પરંતુ આ ઘટનાને કારણે તેમના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.