મુખ્યમંત્રીના ચહેરાની વાત પર કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર કર્યો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2022-10-29 15:36:02

ગુજરાતમાં ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં મગ્ન થઈ છે. ત્યારે કોંગ્રેસ પોતાના મુદ્દાઓનો પ્રચાર નથી કરી રહ્યું પરંતુ બીજી પાર્ટી પર પ્રહાર કરી પોતાના રાજનૈતિક રોટલા સેકી રહી છે. આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના ચહેરાને લઈ વિચારણા કરી રહી છે તેની પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. જગદીશ ઠાકોરે કહ્યું કે આપના ઉમેદવારો જીતી શકવાની સ્થિતિમાં નથી. અને મુખ્યમંત્રીની વાતો કરે છે.

જગદીશ ઠાકોર : આક્રમક શૈલીમાં ભાષણ કરનારા નેતા ચૂંટણીમાં કૉંગ્રેસને મત અપાવી  શકશે? - BBC News ગુજરાતી

કેજરીવાલે કેટલા ઉમેદવારો જીતશે તેનું મુલ્યાંકન કરવું જોઈએ - ઠાકોર

ભાજપ અને આમ આદમી પાર્ટી મોટા આયોજનો કરી પોતાનો પ્રચાર કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે હજી સુધી મોટા પાયે કોઈ જનસભાનું આયોજન નથી કર્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસ પ્રચાર કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે ત્યારે આપ મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી પ્રચાર કરવાની રણનીતિ બનાવી રહી છે. આ વાત પર ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. વ્યંગ કરતા તેમણે કહ્યું કે આપ પહેલા 182 ઉમેદવારોના નામ તો જાહેર કરે. આપના ઉમેદવારો જીતવાની સ્થિતિમાં નથીને મુખ્યમંત્રીની વાતો કરો છો. કેજરીવાલે કેટલા ઉમેદવારો જીતશે તેનું મુલ્યાંકન કરવું જોઈએ.     

કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રાનો કરશે પ્રારંભ

કોંગ્રેસ પણ પોતાના પ્રચાર માટે ગંભીર બની છે. જેમ ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે તેમ કોંગ્રેસ પણ યાત્રાનું આયોજન કરી રહી છે. 31 ઓક્ટોબરથી કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવાની છે. ગુજરાતમાં 5 જગ્યાએથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. સૌરાષ્ટ્રમાં નીકળનારી આ યાત્રાનો પ્રારંભ સોમનાથ મંદિર ખાતેથી થવાનો છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.