કોંગ્રેસે જણાવ્યું પીએમ મોદીને કયા આસન પ્રિય છે! જાણો કોંગ્રેસે શું લખ્યું છે ટ્વિટમાં?


  • Published By :
  • Published Date : 2023-06-21 16:22:27

કોંગ્રેસ તેમજ ભાજપ વચ્ચે અનેક વખત ટ્વિટર વોર ચાલતુ રહે છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ આક્રામક દેખાતી હોય છે. ત્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈ કોંગ્રેસે પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે જવાહરલાલ નહેરૂનો ફોટો શેર કરી એક ટ્વિટ કર્યું છે. જે ફોટો ટ્વિટ કરવામાં આવ્યો છે તેમાં પંડિત નહેરૂને શિર્ષાસન કરતા દર્શાવવામાં આવ્યા છે. કેપ્શન આપતા કોંગ્રેસે લખ્યું કે આંતરરાષ્ટીય યોગ દિવસ પર અમે પંડિત જવાહરલાલનો આભાર માનીએ છીએ. તેમણે આને લોકપ્રિય અને રાષ્ટ્રીય નીતિનો હિસ્સો બનાવ્યો.


કોંગ્રેસે યોગ દિવસને લઈ કર્યો ભાજપ પર પ્રહાર!  

સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ સ્થળો પર કેન્દ્રીય મંત્રીઓએ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. પીએમ મોદી અમેરિકામાં યોગ કરવાના છે. ત્યારે યોગ દિવસને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. પીએમ મોદી પર કોંગ્રેસે પ્રહાર કર્યો છે. યોગ દિવસને લઈ કોંગ્રેસ દ્વારા અનેક ટ્વિટ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીના પસંદીદા આસન - મૌનાસન, જુમલાસન, કેમરાસન, પ્રચારાસન, મોરાસન, મિત્રાસન. તે સિવાય બીજી એક પોસ્ટમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ શિર્ષાસન કરી રહ્યા છે અને બીજી બાજુ ઈન્ટરનેશનલ યોગ દિવસ લખવામાં આવ્યું હતું.

શશિ થરૂરે કરી એવી ટ્વિટ જેનાથી કોંગ્રેસ થઈ શકે છે નારાજ! 

કોંગ્રેસની ટ્વિટને સંદર્ભમાં લઈ શશિ થરૂરે લખ્યું કે આપણે સરકાર સહિત એ લોકોના યોગદાનનો પણ સ્વીકાર કરવો જોઈએ જેમણે સંયુક્ત રાષ્ટ્રના માધ્મયથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરીને યોગને પુનર્જીવિત અને લોકપ્રિય બનાવ્યો. શશિ થરૂર દ્વારા કરવામાં આવેલી ટ્વિટ એવી છે જે કોંગ્રેસને કદાચ ન પણ ગમે. મહત્વનું છે કે એવા અનેક મુદ્દાઓ છે જેને લઈ કોંગેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. મણિપુરમાં થતી હિંસાને લઈને પણ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે.       



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે