મણિપુર હિંસા મુદ્દે કોંગ્રેસે પીએમ મોદીને યાદ કરાવ્યું અટલ બિહારી વાજપેયીનું કથન, સાંભળો વાજપેયીજીની ક્લીપ


  • Published By :
  • Published Date : 2023-07-22 11:50:52

મણિપુરમાં હિંસા અનેક મહિનાઓથી ચાલી રહી છે. અનેક લોકોના મોત થઈ ગયા છે, અનેક લોકોના ઘર બળીને ખાખ થઈ ગયા છે. મણિપુરમાં હિંસા પહેલેથી જ ભડકેલી હતી અને આ સમય દરમિયાન એક વીડિયો સામે આવ્યો જેણે માનવતાને શર્મસાર કરી નાખી. એ વીડિયો ઘણા સમય પહેલાનો હતો પરંતુ ઈન્ટરનેટ સેવા બંધ હોવાને કારણે તે જાહેર જનતા સુધી પહોંચ્યો ન હતો. પરંતુ જ્યારે લોકો સુધી એ વીડિયો પહોંચ્યો ત્યારે લોકોના રૂંવાડા ઉભા થઈ ગયા હતા. લોકોનો આક્રોશ ચરમ સીમાએ પહોંચ્યો હતો.

મણિપુર મામલે પીએમ મોદીએ આપી હતી પ્રતિક્રિયા 

કેન્દ્ર સરકાર અને તેમાં પણ પીએમ મોદી આ મામલે પોતાનું મૌન તોડે, કોઈ પ્રતિક્રિયા આપે ઉપરાંત પરિસ્થિતિને શાંત કરવા કોઈ પગલાં તે માટે અનેક વખત અવાજ ઉઠતા રહ્યા છે. કેન્દ્ર સરકાર સુધી આ વાત પહોંચે તે માટે દિલ્હીમાં મહિલાઓ ધરણા કરી રહી હતી, લોકો તો બુમો પાડી જ રહ્યા હતા, અનેક વખત મણિપુરમાં ભડકેલી હિંસાને શાંત કરવા ખેલાડીઓએ પીએમ મોદીને અપીલ કરી હતી. પરંતુ પીએમ મોદી દ્વારા મણિપુર મામલે કોઈ રિએક્શન અથવા સ્ટેટમેન્ટ આપવામાં ન આવ્યું હતું. પરંતુ મહિલાનો વીડિયો સામે આવ્યા બાદ ચોમાસા સત્ર પહેલા લોકશાહીના મંદિરની બહાર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી હતી. ભલે મણિપુર વિશે ઓછું બોલ્યા હતા પરંતુ બોલ્યા તેનો લોકોને આનંદ હતો. લોકો કહી રહ્યા હતા કે આ મામલે પહેલા બોલવાની જરૂર હતી. 

શક્તિસિંહ ગોહિલે અટલ બિહારીના વીડિયોને કર્યો ટ્વિટ

મણિપુરની ઘટનાને અલગ અલગ રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં એક ઘટના બની હતી ત્યારે પણ સીએમ નરેન્દ્ર મોદીએ કોઈ એક્શન લીધા ન હતા. અટલ બિહારી વાજપેયીએ મુખ્યમંત્રીને રાજધર્મનું પાલન કરવાની સલાહ આપી હતી. રાજધર્મનું પાલન કરવા માટે તેમણે મુખ્યમંત્રીને સલાહ આપી હતી. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મણિપુર હિંસાને લઈ ટ્વિટ કરી હતી. તે ટ્વિટમાં અટલ બિહારી વાજપૈયીની એક વીડિયો ક્લીપ મૂકવામાં આવી છે જેમાં તે મુખ્યમંત્રીને રાજધર્મનું પાલન કરવાનું કહી રહ્યા છે. 

ચૈતર વસાવાએ બંધ પાળવાનું કર્યું એલાન 

મહત્વનું છે કે મણિપુરમાં ભડકેલી હિંસાને લઈ ન માત્ર કોંગ્રેસ પરંતુ અનેક રાજકીય પાર્ટીઓએ મણિપુરની ઘટનાનો રોષ પ્રગટ કર્યો છે. મણિપુરમાં ભડકેલી આગ આખા દેશમાં ફેલાઈ રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આદિવાસી વિસ્તારોમાં બંધ પાળવાનું એલાન કર્યું છે. રવિવારના દિવસે બંધ પાળવામાં આવશે તેવી જાહેરાત ચૈતર વસાવાએ કરી છે.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!