પરાઠા પર જીએસટીના નિર્ણયને કોંગ્રેસે જન વિરોધી ગણાવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:36:49

દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે પરોઠા પર GST લગાવી દેવામાં આવ્યો છે. રોટલી અને પરોઠામાં ભેદ છે એમ કહીં તેના પર 18 ટકા ટેક્સ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે આ વાતનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ આ નિર્ણયને જન વિરોધી નિર્ણય ગણાવ્યો હતો.   

કેન્દ્રની ભાજપ સરકારનો વધુ એક જન વિરોધી નિર્ણય - કોંગ્રેસ 

વધતી મોંઘવારી પર ટિપ્પણી આપતા તેમણે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકારનો વધુ એક જન વિરોધી નિર્ણય છે. જે રીતે પહેલા દૂધ, છાસ અને જીવન જરૂરિયાત વસ્તુ પર જીએસટી લગાવી દેવામાં આવ્યું છે. જીવન જરૂરી વસ્તુ પર 5 ટકા જીએસટી લગાવવાને બદલે 12થી 15 ટકા કરી  મોંઘવારીનો વધારો કર્યો છે.  


સરકારે બુદ્ધિનું દેવાળું કાઢ્યું: મનીષ દોશી

વધુમાં તેમણે કહ્યું કે ટેક્સના નામે લુંટ, જીએસટીના નામે લૂંટ થઈ રહી છે. સામાન્ય માણસને જીવવું મુશ્કેલ થઈ ગયું છે. મોંઘવારી અને બેરોજગારી આસમાને છે. આ સંજગોની અંદર સરકારે જનતાને વધુ એક માર આપ્યો છે. તે છે પરોઠા પર 18 ટકા જીએસટી. મને લાગે છે કે સરકારે બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે.  




એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.