પરાઠા પર જીએસટીના નિર્ણયને કોંગ્રેસે જન વિરોધી ગણાવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:36:49

દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે પરોઠા પર GST લગાવી દેવામાં આવ્યો છે. રોટલી અને પરોઠામાં ભેદ છે એમ કહીં તેના પર 18 ટકા ટેક્સ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે આ વાતનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ આ નિર્ણયને જન વિરોધી નિર્ણય ગણાવ્યો હતો.   

કેન્દ્રની ભાજપ સરકારનો વધુ એક જન વિરોધી નિર્ણય - કોંગ્રેસ 

વધતી મોંઘવારી પર ટિપ્પણી આપતા તેમણે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકારનો વધુ એક જન વિરોધી નિર્ણય છે. જે રીતે પહેલા દૂધ, છાસ અને જીવન જરૂરિયાત વસ્તુ પર જીએસટી લગાવી દેવામાં આવ્યું છે. જીવન જરૂરી વસ્તુ પર 5 ટકા જીએસટી લગાવવાને બદલે 12થી 15 ટકા કરી  મોંઘવારીનો વધારો કર્યો છે.  


સરકારે બુદ્ધિનું દેવાળું કાઢ્યું: મનીષ દોશી

વધુમાં તેમણે કહ્યું કે ટેક્સના નામે લુંટ, જીએસટીના નામે લૂંટ થઈ રહી છે. સામાન્ય માણસને જીવવું મુશ્કેલ થઈ ગયું છે. મોંઘવારી અને બેરોજગારી આસમાને છે. આ સંજગોની અંદર સરકારે જનતાને વધુ એક માર આપ્યો છે. તે છે પરોઠા પર 18 ટકા જીએસટી. મને લાગે છે કે સરકારે બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે.  




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.