PM Modiને Congressએ ઘેરી, Mallikarjun Khargeએ કહ્યું પીએમ મોદી લક્ષદીપ જાય છે. પરંતુ Manipur કેમ નથી જતા?


  • Published By :
  • Published Date : 2024-01-06 14:17:10

લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ રહી છે. રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. અયોધ્યા મંદિરને લઈ ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ મણિપુરને લઈ ચર્ચા થઈ રહી છે. મણિપુરમાં પીએમ મોદી કેમ નથી ગયા તેવી ચર્ચાઓ અનેક વખત થતી હતી કોંગ્રેસે અનેક વખત આવા સવાલો પૂછ્યા છે. ત્યારે ફરી એક વખત મણિપુર મુદ્દે પીએમ મોદી પર નિશાન મલ્લિકાર્જુન ખડગેએ સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મણિપુરમાં દુર્ભાગ્ય ઘટના થઈ, પરંતુ પીએમ મોદી ત્યાં નથી ગયા. તે રામ મંદિરની સાઈટ અથવા તો બીચ પર જઈ રહ્યા છે અને ફોટા પડાવી રહ્યા છે. 

મણિપુર મુદ્દે પીએમ મોદીને ઘેરવાનો પ્રયાસ 

મણિપુરમાં હિંસા પ્રતિદિન વધી રહી છે. અનેક મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે. માહોલ શાંત થવાને બદલે વધારે ઉગ્ર બની રહ્યું છે. અનેક વખત મણિપુર મુદ્દાને લઈ રાજકારણ ગરમાયું છે. પીએમ મોદીને મણિપુર મુદ્દે અનેક વખત કોંગ્રેસે ઘેરી છે. સંસદમાં જ્યારે વિશેષ સત્ર હતું ત્યારે ભડકેલી હિંસાને લઈ હોબાળો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ એક મોકો નથી છોડતી મણિપુરને લઈ પીએમ મોદીને પ્રશ્ન પૂછવાનો. એક તરફ અયોધ્યાની ચર્ચાઓ થઈ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા મણિપુરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. શનિવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ પર નિશાન સાધ્યું છે.

'આ મહાપુરૂષ મણિપુર કેમ નથી જતા' - મલ્લિકાર્જુન ખડગે 

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મણિપુરમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, પરંતુ વડાપ્રધાન મોદી ત્યાં ગયા નહીં. તેઓ રામ મંદિર સાઇટ અથવા બીચ પર જાય છે અને ફોટો સેશન કરાવે છે. તે મુંબઈ કે કેરળ જાય, દરેક જગ્યાએ જાય, તમે તેના ફોટા બધે જ જોઈ શકો છો...તેના ફોટા એવા પડે છે જાણે ભગવાન તેમને દર્શન આપી રહ્યા હોય. પણ આ મહાપુરુષ મણિપુર કેમ નથી જતા? મલ્લિકાર્જુન ખડગેએ આ નિવેદન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યું હતું. 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થવાની છે જે અંગેની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ પીએમ મોદી લક્ષદ્વીપ ગયા હતા. બીચ પરના અનેક ફોટો વાયરલ થયા હતા.     



વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?

રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે મળીને સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે ખુબ ઉત્સુક છે . વોડાફોન-આઈડિયા માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે . તો જાણીએ કઈ રીતે સ્પેસએક્સનું ઈન્ટરનેટ કામ કરે છે?