લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે હમણાંથી શરૂ કરી તૈયારી?


  • Published By :
  • Published Date : 2022-11-03 18:33:54

2022ના અંતિમ મહિનાઓમાં 2 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાત અને હિમાચલમાં ભલે વિધાનસભાને લઈ પ્રચાર થઈ રહ્યો હોય પરંતુ, તમામ પક્ષો હમણાંથી જ લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરી રહ્યા છે. 2024માં યોજાનારી ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ હમણાંથી કમરકસી લીધી છે. એવું બનતું હોય છે જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે મુખ્યત્વે પક્ષો એકબીજા પર પ્રહાર કરતી હોય છે. પરંતુ આ વખતે તો ચૂંટણી વગર કોંગ્રેસે આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર કર્યા છે. 


વીડિયો શેર કરી રાહુલ અને પીએમ વચ્ચે કરી તુલના 

કોંગ્રેસે અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે વીડિયો શેર કર્યો છે જેમાં વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે તુલના કરવામાં આવી છે. વીડિયોમાં વડાપ્રધાન મોદીને અભિનેતા દર્શાવ્યા છે જ્યારે રાહુલ ગાંધીને જનનેતા દર્શાવ્યા છે.

 

પીએમને અભિનેતા અને રાહુલને જનનેતા તરીકે દર્શાવ્યા

નરેન્દ્ર મોદીને કેમેરાજીવી બતાવ્યા છે જ્યારે રાહુલ ગાંધીને જનનાયક બતાવ્યા છે. કોંગ્રેસ આ વીડિયો શેર કરી એવું બતાવવા માગતી હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન હમેશાં કેમેરામેન પર હોય છે. ગમે તે કાર્યક્રમ હોય, ગમે તે જગ્યા હોય તેમનો ફોટો સારો આવો જોઈએ. જ્યારે રાહુલ ગાંધીને જનનાયક બતાવવાનો પ્રયત્ન કરવાની કોશિશ કરી છે. રાહુલ ગાંધીને લોકોની વચ્ચે બતાવી લોકોનો પ્રેમ મેળવતા દર્શાવવામાં આવ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન અનેક લોકોની વચ્ચે રહી તેમણે લોકોની સમસ્યાને સાંભળી હતી.

 


પ્રદુષણને લઈ દિલ્હી સરકાર પર સાધ્યા નિશાન 

આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કોંગ્રેસે લખ્યું કે આમ આદમી પાર્ટીએ દિલ્હીને દુનિયાને સૌથી શુદ્ધ હવા વાળું શહેર બનાવીશું જ્યારે સત્તા પર આવ્યા પછી દિલ્હી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર થઈ ગયું છે. દિલ્હીમાં પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. જેને કારણે હવાની Quality ખૂબ ગંદી થઈ ગઈ છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. 



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે