કોંગ્રેસની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, આ દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાની ના પાડી


  • Published By :
  • Published Date : 2022-11-05 16:22:49

ગુજરાતમાં કોંગ્રેસ યાત્રા કરી પોતાનો પ્રચાર કરી રહી છે. કોંગ્રેસે મોડી રાત્રે પોતાના 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બીજા ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ ગામે ગામે જઈ પોતાનો પ્રચાર કરી રહી છે. આ યાત્રા દરમિયાન ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નિવેદન આપ્યું જેને કારણે રાજકારણ ગરમાયું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ ચૂંટણી નહીં લડે. ખરાબ સ્વાસ્થ્યને કારણે તેઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. 

Baldevji Thakor | Facebook

સુરેશ પટેલ નથી લડવા માંગતા ચૂંટણી  

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. એક બાદ એક નેતાઓ નારાજ થઈ પાર્ટી છોડી રહ્યા છે અને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસે પોતાનો પ્રચાર કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા કરી છે. પાંચ રૂટ પરથી આ યાત્રા નિકળી રહી છે. અનેક નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન બળદેવજી ઠાકોરે કહ્યું કે માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ ચૂંટણી નહીં લડે. તેઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. માણસાના ધારાસભ્યે ખરાબ તબિયત હોવાને કારણે ચૂંટણી લડવાની ના પાડી છે. બળદેવજીએ પ્રાર્થના કરી કે તેઓ ચૂંટણી લડે. માણસામાંથી પંજો જીતવો જોઈએ. 

અનેક નેતાઓએ કર્યો છે પક્ષપલટો  

ઉલ્લેખનીય છે કે જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે તે બાદ અનેક નેતાઓ પોતાની પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી ઈન્દ્રશીલ રાજ્યગુરૂએ કોંગ્રેસનો હાથ થામ્યો છે. જ્યારે કોંગ્રેસમાંથી અલવિદા કહેનાર હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા છે. જ્યારે ભાજપમાંથી જય નારાયણ વ્યાસે રાજીનામું આપી દીધું છે. ત્યારે 2022માં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી સીટ મળે છે તે જોવું રહ્યું.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.