રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નથી, પરિવાર બચાવો યાત્રા છેઃ રવિશંકર પ્રસાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 17:49:16

એક તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં વ્યાપેલી નિરાશાને દુર કરવા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાનું આયોજન કરી રહ્યા છે. તો બીજી તરફ આ યાત્રાના બહાને ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કટાક્ષ કરતા આ યાત્રાને તેમની પરિવાર બચાવવાની યાત્રા બતાવી દીધી. 


ભારત જોડો યાત્રા પર રવિશંકર પ્રસાદની ટિપ્પણી 

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારને ઘેરવા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાડવા રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા છે. તેને અનુલક્ષી કન્યાકુમારીથી કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરવાના છે. ત્યારે આ યાત્રા પર રવિશંકર પ્રસાદે ટિપ્પણી કરતા કહ્યું કે કોંગ્રેસના પોતાના જૂના સમર્પિત લોકો, સમર્પિત નેતા કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે, અને રાહુલજી દેશ જોડવા ચાલી નિકળ્યા છે. રાહુલજી તમે પહેલા પોતાનું ઘર, પાર્ટી જોડે ત્યારબાદ દેશ જોડવાની વાત કરે.


રાહુલ ગાંધી દ્વારા ઉઠાવેલ સર્જિકલ સ્ટ્રાઈકના પ્રશ્ન પર કર્યો પલટવાર

2019માં ભારતીય સેનાએ PoKમાં ઘૂસી આતંકવાદીઓનો ખાતમો કરી ઉરી હુમલામાં શહીદ થયેલા 18 જવાનોની શહાદતનો બદલો લીધો હતો. ભારતીય સેના તેમજ ભારતીય લોકો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ત્યારે રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈકનું પ્રમાણ માગ્યું હતું. ત્યારે આ યાત્રા પર પલટવાર કરવા રવિશંકર પ્રસાદે આ મુદ્દાને યાદ કર્યો છે.

 તેમણે જવાબ આપતા કહ્યું કે હિંદુસ્તાનની એક સંસ્કૃતિ રહી છે કે સેનાની સહાદત, સેનાનું શોર્ય અને સેનાનું બલિદાન પર ક્યારે સવાલ નથી કરતા. રાહુલ ગાંધી તમે તો એનું પ્રમાણ માગ્યું હતું. રાહુલ ગાંધી તમે દેશની વ્યૂહાત્મક સુરક્ષા અને સેનાના ત્યાગને પણ તોડવાની કોશિશ કરી છે, અને તમે દેશ જોડવાની વાત કરો છો.

   

ચૂંટણી આવતા શરૂ આક્ષેપ-પ્રતિઆક્ષેપના દોર 

લોકસભાની ચૂંટણી હોય કે વિધાન સભાનો જંગ હોય ત્યારે પોતાની પાર્ટી જ કામ કરે છે તેવું બતાવવામાં કોઈ પણ પક્ષ પાછો નથી પડતો. પોતાની પાર્ટી જ સારી છે અને બીજી પાર્ટી ખરાબ છે તેવું અનેક વાર નેતાઓ પોતાના ભાષણમાં કહેતા જોવા મળે છે. ભાજપની યોજનાને કોંગ્રેસ ખોટુ પાડવા મથામણ કરે છે તો જ્યારે કોંગ્રેસ કોઈ યોજના લાવે છે તો ભાજપ તેના પર પ્રશ્ન ઉઠાવે છે. ત્યારે હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે