કોંગ્રેસે મોડી રાત્રે ઉમેદવારોની છઠ્ઠી યાદી બહાર પાડી, ગેનીબેન ઠાકોર, જીજ્ઞેશ મેવાણીને અપાઈ ટિકિટ


  • Published By :
  • Published Date : 2022-11-14 11:03:58

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એક બાદ એક પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ ફરી એક વખત ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. મોડી રાત્રે કોંગ્રેસે ઉમેદવારોના નામની છઠ્ઠી યાદી જાહેર કરી છે જેમાં કુલ 33 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓના નામનો સમાવેશ થાય છે.

મોટાભાગના ઉમેદવારોને રિપિટ કરાયા 

ગુજરાતમાં દરેક પાર્ટી તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી હતી. તે બાદ ભાજપે અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ ડિક્લેર કર્યા. કોંગ્રેસે મોડી રાત્રે પોતાના ઉમેદવારોના નામની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કોંગ્રેસે 33 ઉમેદવારોના નામ બહાર પાડ્યા છે જેમાં અનેક ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. વાવથી ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાના છે જ્યારે વડગામથી જીજ્ઞેશ મેવાણી ચૂંટણી લડવાના છે. દરિયાપુરથી ગ્લાસુદ્દીન શેખની પસંદગી કરવામાં આવી છે જ્યારે જમાલપુર બેઠકથી ઈમરાન ખેડાવાલા, દાણી લીમડાથી શૈલેષ પરમાર ચૂંટણી લડવાના છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.