કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો કર્યો અસ્વિકાર, અયોધ્યા નહીં જાય સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે


  • Published By :
  • Published Date : 2024-01-10 18:01:32

અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આ માટે વિવિધ પાર્ટીઓના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના અગ્રણી નેતા સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.  જો  કે હવે કોંગ્રેસ પાર્ટીએ એક નિવેદન દ્વારા જણાવ્યું છે કે કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો સન્માનપૂર્વક અસ્વિકાર કર્યો છે. 


આ નેતાઓ નહીં રહે ઉપસ્થિત


કોંગ્રેસના નેતા અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી તથા વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી સહિતના નેતાઓ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે નહીં, 22 જાન્યુઆરીના રોજ યોજાનારા આ શાનદાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આ નેતાઓને ખાસ આમંત્રણ પાઠવવામા આવ્યું હતું. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન દ્વારા કોંગ્રેસના નેતાઓના નિર્ણય અંગે જાણકારી આપી હતી. 

 

ધર્મ દરેકની અંગત બાબત


જયરામ રમેશે કોંગ્રેસના નેતાઓના નિર્ણય અંગે જણાવ્યું કે આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે, જો કે ધર્મએ દરેકની અંગત બાબત છે, આરએસએસ અને બિજેપીએ લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે બિજેપી અને RSSના નેતાઓ દ્વારા અધૂરા મંદિરનું ઉદઘાટન સ્પષ્ટપણે ચૂંટણી લાભ માટે  કરવામાં આવી રહ્યું છે, વર્ષ 2019ના સુપ્રીમ કોર્ટના ફેંસલાનું પાલન કરતા અને ભગવાન રામનું સન્માન કરતા લાખો લોકોની ભાવનાઓનું સન્માન કરતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, અને અધીર રંજન ચૌધરીએ સ્પષ્ટપણે RSS-બિજેપીના કાર્યક્રમના નિમંત્રણનું સન્માનપૂર્વક અસ્વિકાર કર્યું છે. 



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.