AAP અને Congressના ગઠબંધન વિશે કોંગ્રેસે આપી પ્રતિક્રિયા, ઈસુદાન ગઢવીને કોંગ્રેસના પ્રવક્તાએ આપી આ સલાહ


  • Published By :
  • Published Date : 2023-08-08 16:52:02

ગઈકાલથી રાજકીય વર્તુળમાં એક ચર્ચા ચાલી રહી હતી કે ગુજરાત આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસ ગઠબંધન કરી લોકસભા ચૂંટણી લડવાની છે. ઈસુદાન ગઢવી દ્વારા ગઈકાલે પ્રેસકોન્ફરન્સ કરી આ અંગેની માહિતી આપવામાં આવી હતી. પરંતુ આ મામલે કોંગ્રેસ દ્વારા કોઈ નિવદેન આપવામાં આવ્યું ન હતું, પરંતુ આજે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ ગઠબંધનને લઈ મોટો ખુલાસો કર્યો છે.    

આપ સાથેના ગઠબંધન પર કોંગ્રેસે તોડી ચૂપી

લોકસભા ચૂંટણીની તૈયારીઓ રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. ચૂંટણી જીતવા અલગ અલગ રણનીતિ બનાવવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વિપક્ષી રાજકીય પાર્ટીઓએ ગઠબંધન કર્યું છે અને તે ગઠબંધનનું નામ છે INDIA. રાષ્ટ્રીય લેવલ પર પાર્ટી એકબીજા સાથે આવી છે ત્યારે રાજ્યસ્તરે પણ પાર્ટી ગઠબંધન કરશે તેવી આશાઓ લોકોને હતી. ત્યારે ગઈકાલે ઈસુદાન ગઢવીએ ચૂંટણીને લઈ મહત્વની જાહેરાત કરી હતી. જે મુજબ આપ અને કોંગ્રેસ ભેગા થઈ ચૂંટણી લડશે. પરંતુ આ અંગે કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. ત્યારે આજે મનીષ દોષીએ ગઠબંધનથી હાથ ખંખેરી દીધા છે. મનીષ દોષીએ કહ્યું કે આવા નિર્ણયો રાષ્ટ્રીય સ્તરે લેતા હોય છે. આવી વાતોથી લોકોએ દૂર રહેવું જોઈએ. આ જો અને તોની રણનીતિ છે.     

ઈસુદાન ગઢવી તેમજ આપને કોંગ્રેસના પ્રવક્તાએ આપી આ સલાહ  

વધુમાં કોંગ્રેસના પ્રવક્તા એ કહ્યું કે ટિકિટ વહેંચી કે ગઠબંધનની વાત હોય, આ નિર્ણયની સત્તા પ્રદેશ કક્ષાએ કોઇની નથી. ગઠબંધનની જાહેરાત મીડિયાથી જાણવા મળી છે. ગઠબંધનની જાહેરાત રાષ્ટ્રીય નેતૃત્વ કરે છે. પ્રવક્તા મનીષ દોષીએ લોકોને સાવચેત કર્યા છે. કોંગ્રેસે ગુજરાતની જનતાને અપીલ પણ કરી છે. કસમયના આવા નિવેદનોથી દૂર રહેવા જણાવ્યું છે. આપના નેતા અને ઈસુદાન ગઢવીએ આવા નિવેદનોથી બચવું જોઈએ. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!