Congressએ ઉમેદવારોના સસ્પેન્સ પર મૂક્યો પૂર્ણ વિરામ! Raebareliથી Rahul Gandhi, તો Smriti Irani સામે K.L.Sharmaને ઉતાર્યા ચૂંટણી મેદાનમાં...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-03 12:37:20

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ક્યાંથી ચૂંટણી લડશે તે અંગેનો સસ્પેન્સ હતો. અનેક અટકળો લગાવામાં આવી હતી. પરંતુ આજે આ સસ્પેન્સનો અંત આવી ગયો છે. અમેઠી અને રાયબરેલી વચ્ચે અસમંજસ હતું કે કોને ક્યાંથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે.. કોંગ્રેસ દ્વારા ઉમેદવારની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. રાહુલ ગાંધી રાયબરેલીથી ઉમેદવાર છે અને અમેઠીથી કિશોરી લાલ શર્માને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. આની પહેલા અટકળો ચાલી રહી હતી કે અમેઠીથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે..

રાયબરેલીથી રાહુલ ગાંધી લડશે ચૂંટણી  

દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે.. બે તબક્કા અંતર્ગત મતદાન થઈ ગયું છે અને સાતમી મેના રોજ ત્રીજા તબક્કા માટેનું મતદાન થવાનું છે.. ત્યારે ઉત્તરપ્રદેશની લોકસભા સીટ રાયબરેલી અને અમેઠી પર કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર હતી.. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે પણ સસ્પેન્સ હતો ત્યારે આજે આ સસ્પેન્સ પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયો છે. 

સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસે ઉતાર્યા કે.એલ.શર્માને ચૂંટણી મેદાનમાં 

રાહુલ ગાંધીને રાયબરેલીથી કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. અમેઠીથી કિશોરી લાલ શર્માને કોંગ્રેસે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને ઉતારવામાં આવ્યા છે... મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી આજે ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. રાહુલ ગાંધીનો સામનો ભાજપના ઉમેદવાર દિનેશ સિંહ સામે થવાનો છે.. દિનેશ સિંહ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી છે. સોનિયા ગાંધીને દિનેશ સિંહે ચૂંટણીમાં સારી એવી ટક્કર આપી છે.. જો અમેઠીમાં કોંગ્રેસે ઉતારેલા ઉમેદવાર કિશોરી લાલ શર્માની વાત કરીએ તો તેમને કોંગ્રેસ પરિવારના એકદમ નજીકના માનવામાં આવે છે.. એવું લાગતું હતું કે આ બંને બેઠકમાંથી એક બેઠક પર પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવામાં આવી શકે છે પરંતુ તેમના નામની જાહેરાત નથી કરી.. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.