AMTS અને BRTSની ટિકિટના ભાવમાં કરાયેલા વધારા સામે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, ભાવ વધારો પાછો ખેંચવા કરી માગ


  • Published By :
  • Published Date : 2023-06-28 09:06:44

પહેલી જૂલાઈથી અનેક નવા નિયમો લાગુ કરવામાં આવશે. થોડા દિવસો પહેલા AMCના હોદ્દેદારો અને કમિશનર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટિકિટના ભાવમાં વધારો થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં લેવાયા નિર્ણય બાદ ટિકિટના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. આઠ વર્ષ બાદ AMTSના બસ લઘુતમ ભાડામાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. AMTS તેમજ  BRTSના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ વાતનો વિરોધ ગુજરાત કોંગ્રેસના કોર્પોરેટર તેમજ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ગઈકાલે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જમાલપુર AMTS ટ્રાન્સપોર્ટ ઓફિસ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.BJP બસ સર્વિસ લખેલી પ્રતિકાત્મક બસને પણ સળગાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.  


AMTS-BRTSના ભાવ વધારા પર કોંગ્રેસનો વિરોધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એએમટીએસ બસ ઘણા વર્ષોથી ખોટમાં ચાલી રહી છે. બસ સેવાને સામાન્ય લોકો માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે. ત્યારે પહેલી જુલાઈથી ટિકિટના ભાવમાં કરાયેલા વધારો લાગુ કરવામાં આવશે. 3 કિલોમીટર સુધી પહેલા 3 રુપિયા ચૂકવવા પડતા હતા તેની બદલીમાં હવે પાંચ રુપિયા ચૂકવવા પડશે. 3-5 કિલોમીટર માટે 10 રુપિયા, 5-8 કિલોમીટર માટે 15 રુપિયા, 8-14 કિલોમીટર માટે 20 રુપિયા, 14-20 કિલોમીટર માટે 25 રુપિયા તેમજ 20થી વધુ જો કિલોમીટરની મુસાફરી બસમાં કરશો તો તમારે 30 રુપિયા હવેથી ચૂકવવા પડશે. ત્યારે આ ભાવ વધારાનો વિરોધ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમજ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન AMTSના ચેરમેન વિરૂદ્ધ નારા લગાવ્યા હતા ઉપરાંત BJP બસ સર્વિસ લખેલી પ્રતિકાત્મક બસને પણ સળગાવી હતી. 


જો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો કરાશે વિરોધ! 

આ વિરોધ શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો. વિરોધ દર્શાવતી વખતે વલ્લભ પટેલ ચોર હૈના નારા લગાવ્યા હતા. ઉપરાંત ભાવ વધારો પાછો ખેંચવાની માગ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યા કે આ ભાવ વધારો મળતિયા કોન્ટ્રાક્ટરને ફાયદો મળે તે માટે કરવામાં આવ્યો છે. જો ભાવ વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો રસ્તા પર ઉતરી વિરોધ કરવામાં આવશે તેવું પ્રદર્શન દરમિયાન વિપક્ષી નેતાઓએ જણાવ્યું હતું. ભાવ વધારા મામલે જ્યારે ટ્રાન્સપોર્ટ મેનેજરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે નોર્મલ ભાવ વધારો કરવામાં આવ્યો છે. મુસાફરોને સારી સુવિધા મળે તે માટે કરવામાં આવ્યો છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!