Rajkot અગ્નિકાંડને લઈ Congressનો વિરોધ, Jignesh Mevani, Geniben Thakor સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ કરશે પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો


  • Published By :
  • Published Date : 2024-06-15 11:47:18

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ.. અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે.. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. પરંતુ એસઆઈટીને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.. અનેક વર્ષો વીતિ જતા હોય છે પરંતુ મૃતક પરિવારને ન્યાય નથી મળતો.. ત્યારે રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવી છે.. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, સાંસદ ગેનીબેન ઠાકોર, જેની ઠુમ્મર, લાલજી દેસાઈ, અમિત ચાવડા સહિતના નેતાઓ આજે રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરવાના છે.. રેલી યોજી વિરોધ પ્રદર્શન દર્શાવી રહ્યા છે..    


પીડિત પરિવારને ન્યાય નથી મળતો.. 

આપણે ત્યાં કહેવાય છે કે સિસ્ટમમાં બધુ મળી જશે માત્ર ન્યાય નથી મળતો.. આપણા ઉપર ના વીતિ હોય ત્યાં સુધી આપણે તેમની પીડા નથી સમજી શકતા. આપણી પર જ્યારે વીતે ત્યારે જ આપણે પીડા સમજી શકીએ છીએ..જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે તે બાદ એસઆઈટીની રચના કરવામાં આવે છે અને તપાસ થાય છે. પીડિત પરિવારને ન્યાય નથી મળતો. જે કસૂરવાય હોય છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી નથી થતી.. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે એસઆઈટીની રચના થઈ.. પરંતુ એસઆઈટીની ટીમ જે બની છે તેને બદલવામાં આવે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.


કોંગ્રેસ દ્વારા કરવામાં આવી માગ 

કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરવામાં આવી રહ્યો છે. તે સિવાય 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસની માગ છે કે પીડિત પરિવારોને ચાર લાખની જગ્યાએ સહાય રૂપે એક કરોડ આપવામાં આવે. ચાર લાખનું નહીં એક કરોડ વળતર આપો.. તે સિવાય એવી પણ માગ કરવામાં આવી છે કે બાહોશ અને નોન કરપ્ટ અધિકારીઓની SIT ટીમ બનાવો, ફૂટેલી કારતૂસોની નહીં.. તે સિવાય સુભાષ ત્રિવેદીવાળી એસઆઈટી ના જોઈએ.. મહત્વનું છે કે આની પહેલા ધરણા કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે