કોંગ્રેસને 24 વર્ષ બાદ આજે બિન-ગાંધી પ્રમુખ મળશે, પાર્ટી મુખ્યાલયમાં મતગણતરી શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 11:35:45

કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખની ચૂંટણી બાદ આજે 10 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસને આજે 24 વર્ષ બાદ બિન-ગાંધી પ્રમુખ મળશે. સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના ચેરમેન મત ગણતરી બાદ પરિણામ જાહેર કરશે. મત ગણતરી વખતે  પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂરના પ્રસ્તાવક સાંસદ કાર્તિ ચિદંબરમ તથા અન્ય ચૂંટણી એજન્ટ પણ હાજર રહ્યા હતા. બીજા ઉમેદવાર મલ્લિકાર્જુન ખરગે તરફથી સાંસદ સૈયદ નાસિર હુસૈન અને અન્ય નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.


મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં બંધ


દેશના વિવિધ ભાગોમાં બને કોંગ્રેસના તમામ મતદાન કેન્દ્રોમાંથી મત પેટીઓ મંગળવાર સાંજે કોંગ્રેસ હેડક્વાર્ટર લાવવામાં આવી હતી, તેને કોંગ્રેસ મુખ્યાલયની અંદર રહેલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી હતી.


દિવાળી પછી નવા પ્રમુખ હોદ્દો સંભાળશે


કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, મતગણતરી માટે સાત-આઠ ટેબલ તૈયાર કરવામાં આવશે અને દરેક ટેબલ પર બે વ્યક્તિ હશે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રમુખ દિવાળી પછી કોંગ્રેસના મુખ્યાલય ખાતે યોજાનાર કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ચાર્જ સંભાળશે. વિજેતા ઉમેદવારને બુધવારે પ્રમાણપત્ર આપવામાં આવશે કે પછી તે હજુ નક્કી નથી.


અત્રે ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ બુધવારે દિલ્હીમાં રહ્યા હતા. જો કે, રાહુલ ગાંધી કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' ચાલુ રાખી હતી એટલે કે મતગણતરી દરમિયાન તેઓ દિલ્હીમાં રહ્યા  ન હતાં.



કોંગ્રેસના 9500 ડેલીગેટએ મતદાન કર્યું હતું


કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ સહિત લગભગ 9500 પ્રતિનિધિઓ (ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો) એ સોમવારે (17 ઑક્ટોબર) પાર્ટીના નવા પ્રમુખને ચૂંટવા માટે મતદાન કર્યું હતું.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.