Congress અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે BJP પર પ્રહાર કર્યા!ભાજપના કાર્યકર્તાઓ માટે ચિંતા જતાવી, BJP માટે કહ્યું કે અહંકારથી ચાલતી ભારતીય જનતા પાર્ટી...!


  • Published By :
  • Published Date : 2024-03-26 10:48:57

ભારતીય જનતા પાર્ટીમાં અનેક વખત ભરતી મેળો જોવા મળતો હોય છે. પોતાની પાર્ટીને છોડી ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ, કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. આપણી સમક્ષ અનેક ઉદાહરણો છે તાજેતરના જ. ભાજપમાં ચાલતા ભરતી મેળાને લઈ ભાજપના જ નેતાઓમાં, કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળતી હોય છે. અનેક કાર્યકર્તાઓની લાગણી છલકાઈ પણ જતી હોય છે. ત્યારે ભાજપમાં ચાલતા અસંતોષની લાગણી વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે. 

બે બેઠકો પર ભાજપે બદલ્યા ઉમેદવાર! 

લોકસભા ચૂંટણીને લઈ પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. અનેક બેઠકો માટે ઉમેદવારોને લઈ મનોમંથન પાર્ટીમાં ચાલી રહ્યું છે. ભાજપમાં પ્રથમ વખત કદાચ એવી ઘટના બની છે કે ઉમેદવાર ઘોષિત કરાયા બાદ તેને બદલવામાં આવ્યા હોય. વડોદરા તેમજ સાબરકાંઠામાં આવું થયું છે. 


શક્તિસિંહ ગોહિલે ભાજપ પર નિશાન સાધતા કહ્યું...

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક નેતાઓએ, ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જે પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા છે તેમને પદની લાલચ આપવામાં આવી હોઈ શકે છે. કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ જવાથી ભાજપના અનેક કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી છે. અનેક વખત ભાજપમાં ચાલતા આંતરિક ડખા ઉભરીને સામે આવતા હોય છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ માટે શક્તિસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરી છે. અરવલ્લીના એક ગામમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલ ગયા હતા ત્યાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા છે. ઉમેદવારોને બદલી લેવાાં આવ્યા તેને લઈ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે ભાજપને અહંકારી પાર્ટી કહી હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.