Congress અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે BJP પર પ્રહાર કર્યા!ભાજપના કાર્યકર્તાઓ માટે ચિંતા જતાવી, BJP માટે કહ્યું કે અહંકારથી ચાલતી ભારતીય જનતા પાર્ટી...!


  • Published By :
  • Published Date : 2024-03-26 10:48:57

ભારતીય જનતા પાર્ટીમાં અનેક વખત ભરતી મેળો જોવા મળતો હોય છે. પોતાની પાર્ટીને છોડી ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ, કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. આપણી સમક્ષ અનેક ઉદાહરણો છે તાજેતરના જ. ભાજપમાં ચાલતા ભરતી મેળાને લઈ ભાજપના જ નેતાઓમાં, કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળતી હોય છે. અનેક કાર્યકર્તાઓની લાગણી છલકાઈ પણ જતી હોય છે. ત્યારે ભાજપમાં ચાલતા અસંતોષની લાગણી વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે. 

બે બેઠકો પર ભાજપે બદલ્યા ઉમેદવાર! 

લોકસભા ચૂંટણીને લઈ પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. અનેક બેઠકો માટે ઉમેદવારોને લઈ મનોમંથન પાર્ટીમાં ચાલી રહ્યું છે. ભાજપમાં પ્રથમ વખત કદાચ એવી ઘટના બની છે કે ઉમેદવાર ઘોષિત કરાયા બાદ તેને બદલવામાં આવ્યા હોય. વડોદરા તેમજ સાબરકાંઠામાં આવું થયું છે. 


શક્તિસિંહ ગોહિલે ભાજપ પર નિશાન સાધતા કહ્યું...

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક નેતાઓએ, ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જે પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા છે તેમને પદની લાલચ આપવામાં આવી હોઈ શકે છે. કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ જવાથી ભાજપના અનેક કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી છે. અનેક વખત ભાજપમાં ચાલતા આંતરિક ડખા ઉભરીને સામે આવતા હોય છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ માટે શક્તિસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરી છે. અરવલ્લીના એક ગામમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલ ગયા હતા ત્યાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા છે. ઉમેદવારોને બદલી લેવાાં આવ્યા તેને લઈ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે ભાજપને અહંકારી પાર્ટી કહી હતી.  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.