કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી કાલે યોજાશે, મલ્લિકાર્જુન ખડગે અને શશી થરુર વચ્ચે છે મુકાબલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 18:47:56

કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખ પદ માટે ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આજે કોંગ્રેસના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના ચેરમેન મધુસુદન મિસ્ત્રીએ ચૂંટણીનો આખો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આવતીકાલે 17 ઓક્ટોમ્બરના રોજ યોજનારા મતદાનમાં કોંગ્રેસના નેતાઓ મતદાન કરશે અને કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી કરશે. કોંગ્રેસના પ્રમુખ બનવા માટે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશી થરુર વચ્ચે સીધો મુકાબલો છે.  


ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ આ પ્રમાણે છે


કોંગ્રેસના અગ્રણી નેતા મધુસુદન મિસ્ત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ માટેની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમને વિગતો જણાવતાં કહ્યું કે, "સવારના 10 વાગ્યાથી મતદાન શરુ થશે જે સાંજના 4 વાગ્યા સુધી ચાલશે. તમામ રાજ્યના પ્રતિનિધિઓ તેમના સંબંધિત પોલિંગ બૂથમાં તેમની પસંદગીના ઉમેદવારને વોટ આપશે. ટીકનું ચિહ્ન કરીને મતદાન કરી શકાશે. મતદાનની પ્રક્રિયામાં કોઈ અડચણ ન પડે તેવી તમામ વ્યવસ્થા કરાઈ છે." 


મધુસુદન મિસ્ત્રીએ વધુમાં કહ્યું કે, "17 ઓક્ટોમ્બરે 4 વાગ્યે મતદાન પુર્ણ થશે અને એ પછી 18 ઓક્ટોબરે બેલેટ બોક્સ દિલ્હી પહોંચશે અને 19 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે. એઆઈસીસી ખાતે પણ પોલિંગ બૂથ બનાવાયા છે જ્યાં 50 લોકો મતદાન કરી શકશે."


પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ક્યાં મતદાન કરશે?


કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધી અત્યારે દક્ષિણ ભારતમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેથી રાહુલ ગાંધી કર્ણાટકના બેલ્લારીમાં મતદાન કરશે. બેલ્લારી ખાતે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન મથક બનાવામાં આવ્યું છે. પાર્ટીનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ દિલ્હીમાં મતદાન કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચૂંટણીના પરીણામ આવ્યા બાદ 22 વર્ષ પછી પ્રથમ વખત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ગાંધી પરીવારથી બહારના કોઈ નેતા કોંગ્રેસના અધ્યક્ષ બનશે.



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.