દિગ્વિજય સિંહે પણ પાર્ટી અધ્યક્ષ પદની રેસમાં ઝંપલાવ્યું ચૂંટણી રસાકસી ભરેલી રહેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 17:42:09

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની રેસમાંથી અશોક ગેહલોત બહાર થઈ ગયા બાદ હવે દિગ્વિજય સિંહે પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તેઓ પોતાની ઉમેદવારી ટુંક જ સમયમાં નોંધાવશે. હાલ દિગ્વિજયસિંહ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ભાગ લઇ રહ્યા છે. હવે તેઓ આજે રાત્રે દિલ્હી પરત ફરશે અને કાલે તેઓ ઉમેદવારી નોંધાવશે.


ગેહલોતે પાર્ટી હાઈકમાનનો વિશ્વાસ ગુમાવ્યો


આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં શશિ થરૂર અને અશોક ગહલોતના નામ સામે આવી રહ્યા હતા. જો કે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ચાલી રહેલા ધમાસાણ વચ્ચે અશોક ગેહલોત પાર્ટી હાઈકમાનનો વિશ્વાસ ગુમાવી ચૂંક્યા છે. તે હવે ચૂંટણી લડે તેમ નથી. બીજી તરફ શશિ થરૂરની ઉમેદવારી પાક્કી માનવામાં આવી રહી છે. તેઓ 30 સપ્ટેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે ઉમેદવારી કરવાનાં છે.


હવે ચાર ઉમેદવારો મેદાનમાં


અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીની રેસમાં મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલનું નામ પણ સામે આવ્યું હતું. આ લિસ્ટમાં દિગ્વિજયસિંહનું નામ ચર્ચાઈ રહ્યું હતું. જે હવે પાક્કું થઇ ચુક્યું છે. દિગ્વિજયસિંહ પાસે લાંબો સંગઠનાત્મક અનુભવ છે આ ઉપરાંત પ્રશાસનિક અનુભવ પણ છે. તેઓ બે વાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા છે. તેમની ગણત્રી ગાંધી પરીવારનાં વફાદારોમાં થાય છે.  દિગ્વિજયસિંહ અનેક વખત સંઘ અને તેમના હિન્દુત્વની વિરુદ્ધ અવાજ ઉઠાવી ચુક્યા છે. 


દિગ્વિજયસિંહ અનુભવી નેતા પણ નબળાઈઓ પણ ઘણી


જો કે તેમની ખામીઓ અંગે વાત કરીએ તો 2019 માં તેઓ પોતે ભોપાલમાંથી ચૂંટણી હારી ગયા હતા. નિવેદનબાજી મુદ્દે પણ તેઓ વારંવાર ચર્ચામાં આવતા રહે છે. ઘણીવાર આ નિવેદનના કારણે ન માત્ર પાર્ટી પરંતુ પોતે પણ અસહજ થઇ જાય છે. આ ઉપરાંત તેમના હિન્દુત્વ અંગેના કેટલાક વિવાદિત નિવેદનના કારણે જનસમર્થન પણ તેમનું ખુબ જ ઘટી ચુક્યું છે. પરિવારવારના આરોપોનો સામનો પણ તેઓ કરી રહ્યા છે. પોતાના પુત્ર અને ભાઇને રાજનીતિમા સેટ કરવાનો તેમના પર આરોપ લાગે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે