દિગ્વિજય સિંહે પણ પાર્ટી અધ્યક્ષ પદની રેસમાં ઝંપલાવ્યું ચૂંટણી રસાકસી ભરેલી રહેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 17:42:09

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની રેસમાંથી અશોક ગેહલોત બહાર થઈ ગયા બાદ હવે દિગ્વિજય સિંહે પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તેઓ પોતાની ઉમેદવારી ટુંક જ સમયમાં નોંધાવશે. હાલ દિગ્વિજયસિંહ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ભાગ લઇ રહ્યા છે. હવે તેઓ આજે રાત્રે દિલ્હી પરત ફરશે અને કાલે તેઓ ઉમેદવારી નોંધાવશે.


ગેહલોતે પાર્ટી હાઈકમાનનો વિશ્વાસ ગુમાવ્યો


આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં શશિ થરૂર અને અશોક ગહલોતના નામ સામે આવી રહ્યા હતા. જો કે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ચાલી રહેલા ધમાસાણ વચ્ચે અશોક ગેહલોત પાર્ટી હાઈકમાનનો વિશ્વાસ ગુમાવી ચૂંક્યા છે. તે હવે ચૂંટણી લડે તેમ નથી. બીજી તરફ શશિ થરૂરની ઉમેદવારી પાક્કી માનવામાં આવી રહી છે. તેઓ 30 સપ્ટેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે ઉમેદવારી કરવાનાં છે.


હવે ચાર ઉમેદવારો મેદાનમાં


અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીની રેસમાં મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલનું નામ પણ સામે આવ્યું હતું. આ લિસ્ટમાં દિગ્વિજયસિંહનું નામ ચર્ચાઈ રહ્યું હતું. જે હવે પાક્કું થઇ ચુક્યું છે. દિગ્વિજયસિંહ પાસે લાંબો સંગઠનાત્મક અનુભવ છે આ ઉપરાંત પ્રશાસનિક અનુભવ પણ છે. તેઓ બે વાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા છે. તેમની ગણત્રી ગાંધી પરીવારનાં વફાદારોમાં થાય છે.  દિગ્વિજયસિંહ અનેક વખત સંઘ અને તેમના હિન્દુત્વની વિરુદ્ધ અવાજ ઉઠાવી ચુક્યા છે. 


દિગ્વિજયસિંહ અનુભવી નેતા પણ નબળાઈઓ પણ ઘણી


જો કે તેમની ખામીઓ અંગે વાત કરીએ તો 2019 માં તેઓ પોતે ભોપાલમાંથી ચૂંટણી હારી ગયા હતા. નિવેદનબાજી મુદ્દે પણ તેઓ વારંવાર ચર્ચામાં આવતા રહે છે. ઘણીવાર આ નિવેદનના કારણે ન માત્ર પાર્ટી પરંતુ પોતે પણ અસહજ થઇ જાય છે. આ ઉપરાંત તેમના હિન્દુત્વ અંગેના કેટલાક વિવાદિત નિવેદનના કારણે જનસમર્થન પણ તેમનું ખુબ જ ઘટી ચુક્યું છે. પરિવારવારના આરોપોનો સામનો પણ તેઓ કરી રહ્યા છે. પોતાના પુત્ર અને ભાઇને રાજનીતિમા સેટ કરવાનો તેમના પર આરોપ લાગે છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.