લલિત વસોયા અને કિરીટ પટેલે કોંગ્રેસ સામે રોષ વ્યક્ત કર્યો, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કરી આ ટકોર


  • Published By :
  • Published Date : 2023-03-12 16:29:36

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક કલહ કોઈ નવી વાત નથી, કોંગ્રેસના નેતાઓ અવારનવાર પાર્ટીની નિતી રીતિ સામે સવાલો કરતા જ રહે છે. જેમ કે કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દે મોન તોડતા મીડિયા સમક્ષ પાર્ટી સાથેની નારાજગીના મુદ્દા વ્યક્ત કર્યાં હતા. લલિત વસોયા અને  કિરીટ પટેલે ફરી પોતાની જ પાર્ટી સામે રોષ વ્યક્ત કરતા કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલો આંતરકલહ ફરી સપાટી પર આવ્યો છે.અત્રે ઉલ્લેખનિય છે કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત સંગઠનમાં વિલંબથી ઘણાં કોંગ્રેસીઓ નારાજ છે. 


લલિત વસોયા અને કિરીટ પટેલે શું કહ્યું?


લલિત વસોયા અને કિરીટ પટેલ છેલ્લા ઘણા સમયથી પક્ષ વિરોધી કામગીરી કરનારા લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. આ મુદ્દે લલિત વસાયોનું કહેવું છે કે "કેટલાક મુદ્દા છે, જે કોગ્રેસ હાઇકમાન્ડ સુધી પહોંચવા જોઇએ. આ મુદ્દે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, સંગઠન મજબુત નથી, કાર્યકરોની વાત સંગઠન કે હાઇકમાન્ડ સુધી પહોંચતી નથી. કોઇ સાંભળતુ નથી અને લોકસભાની ચૂંટણીને લઇને  કોંગ્રેસે હવે સક્રિય થવાની જરુર છે."


પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષ વિરોધી કામ કરતાં લોકો સામે પાર્ટીની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે "હાલનાં કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષથી ઘણી નારાજગી છે. પક્ષ દ્વારા ઝડપી કોઈ નિર્ણય લેવાતા નથી અમે ત્રણ ધારાસભ્યોએ પક્ષ વિરોધી કામ કરનાર સામે અમે લખીને આપ્યું છે. તો પણ તેઓની સામે પક્ષ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. પક્ષ વિરોધી કાર્યવાહી કરનાર સામે ઘણા લોકોએ લખીને આપ્યું છે તેમજ મૌખિક વાત પણ કરી છે. અમે લેખિતમાં જગદીશ ઠાકોરને આપ્યું છે. અને અમિત ચાવડાને પણ અને લખીને આપ્યું છે.  જો હજુ પણ તેઓની સામે પગલા લેવામાં નહીં આવે તો અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું. જેમણે ધારાસભ્યોને હરાવવાની કામગીરી કરી છે, તેમજ પક્ષ વિરોધી કામગીરી કરી છે.પાર્ટીની કાર્ય પદ્ધતિ જો નહી સુધરે તો કોઇ નવો નિર્ણય મક્કમપણે લેવો પડશે."


જગદીશ ઠાકોરે શું જવાબ આપ્યો?


કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ મુદ્દે જગદીશ ઠાકોરે કહ્યું કે, "કોંગ્રેસમાં કેટલાક મિત્રોને મીડિયા સમક્ષ વાત કરવાની ટેવ પડી ગઈ છે. એવા મિત્રોને વિનંતી કરું છું કે કઈ પણ વાત હોય તો આવો સામે. આંતરિક પ્રશ્નોની ચર્ચા માટે પક્ષનું નેતૃત્વ હંમેશા તૈયાર જ છે. શિસ્તના મુદ્દે બાંધછોડ નહીં ચાલે. વધુમાં તેમણે કોંગ્રેસના નેતાઓને ટકોર કરતા કહ્યું કે, કોઈ કહે એ રીતે જ પક્ષ ચાલવો જોઈએ તેવી માનસિકતામાંથી પક્ષના લોકોએ બહાર આવવું જોઈએ.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!