Rajkot અગ્નિકાંડનાં પીડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ મેદાને! કોંગ્રેસના નેતાઓ 3 દિવસના ઉપવાસ પર બેઠા, સાંભળો શું કહ્યું Jignesh Mevaniએ?


  • Published By :
  • Published Date : 2024-06-07 16:51:56

થોડા દિવસો પહેલા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. તે આગમાં અનેક પરિવારના ચિરાગો બૂઝાઈ ગયા. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા.. 27 લોકોના આ ઘટનામાં મોત થઈ ગયા..આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.. આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં પણ ચાલી રહી છે.. મૃતકના પરિવાર ન્યાયની આશા રાખી રહ્યા છે.. સત્તાને આ ઘટનાને લઈ સવાલો થાય તે વ્યાજબી છે પરંતુ વિપક્ષને પણ સવાલો થવા જોઈએ. કારણ કે જનતાને લાગે છે કે વિપક્ષ તેમનો અવાજ બની શકે છે.. 

રાજકોટમાં કોંગ્રેસના નેતાઓએ રાખ્યો ધરણા કાર્યક્રમ

પરંતુ અનેક મુદ્દાઓ એવા છે જેને જોતા લાગે કે વિપક્ષ મુદ્દાઓને ઉઠાવવામાં નિષ્ફળ સાબિત થઈ.. વિપક્ષની જે ભૂમિકા હોય છે તેને નિભાવવામાં કાચી સાબિત થઈ.. જે દમથી, જે મજબુતાઈથી વિપક્ષના નેતાઓએ પ્રશ્ન ઉઠાવવો જોઈતો હતો તેવા પ્રશ્નો વિપક્ષ દ્વારા નથી ઉઠાવવામાં આવ્યા.. આ બધા વચ્ચે જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ધરણા પર  બેઠા છે. 

મહત્વનું છે કે જો વિપક્ષમાં ભાજપ હોત તો... 

ત્યારે રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવી છે.. કોંગ્રેસ દ્વારા 72 કલાકના ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અલગ અલગ પ્લેકાર્ડ દર્શાવવી વિરોધ કરાઈ રહ્યો છે... રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે જો ભાજપ હમણાં વિપક્ષમાં હોત તો સરકાર પર એટલું પ્રેશર લઈ આવતા કે કાર્યવાહી કરવી પડતી.. ન્યાયની માગ સાથે ભાજપના નેતા રસ્તા પર આવી જતા અને કદાચ મૃતકના પરિવારને ન્યાય અપાવીને રહેતા.. વિપક્ષ હજી ગુજરાતમાં છે તે વાત સારી છે, તે વાત સાબિત થઈ..!



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.